Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન પોતે સમાજ સામે આવીને માફી માગે તો વિચાર કરીશું

સલમાન ખાન પોતે સમાજ સામે આવીને માફી માગે તો વિચાર કરીશું

Published : 17 October, 2024 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું...

અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયા

અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયા


દબંગ અભિનેતા સલમાન ખાનના ફ્રેન્ડ બાબા સિદ્દીકીની હત્યા લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગના શૂટરોએ કરી હોવાનું તપાસમાં જણાયું છે ત્યારે બિશ્નોઈ સમાજ અને સલમાન ખાન ફરી ચર્ચામાં આવ્યા છે. એક ન્યુઝ ચૅનલ સાથેની વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું છે કે ‘જો સલમાન ખાન માફી માગશે તો બિશ્નોઈ સમાજ તેને માફ કરશે, પણ તેણે પોતે સમાજની સામે આવીને ભૂલ કબૂલવી પડશે. એ પછી સમાજના અગ્રણીઓની બેઠકમાં નિયમ મુજબ માફી આપવાનો નિર્ણય લેવામાં આવશે. સમાજમાં ૨૯ નિયમ છે જેના દસમા નિયમમાં ભૂલ સ્વીકારે તો માફ કરવાની જોગવાઈ છે. અમારો સમાજ કોઈને નુકસાન નથી કરતો. કોઈ ક્ષમાની ભાવનાથી અમારી સામે આવે તો તેને માફ કરવામાં આવે છે.’


૧૯૯૮માં ‘હમ સાથ સાથ હૈં’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન સલમાન ખાન સહિતની બૉલીવુડની સેલિબ્રિટીઝ શિકાર કરવા નીકળી હતી ત્યારે કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો. આ શિકાર બાદ બિશ્નોઈ સમાજમાં સલમાન ખાન સામે ખૂબ નારાજગી જોવા મળી રહી છે. ૨૭ વર્ષના જૂના શિકારનો આ મામલો કોર્ટમાં હજી ચાલી રહ્યો છે. આ મામલામાં સલમાન ખાન સામે ચાર કેસ છે. ૨૦૦૬ અને ૨૦૦૭માં સલમાન ખાનને કેટલોક સમય જેલમાં જવું પડ્યું હતું. અત્યારે સલમાન જામીન પર છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2024 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK