Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJPના નેતા સુધીર મુનગંટીવારે ૧૦૦ વિધાનસભ્યોના સમર્થન સાથે માગણી કરી

BJPના નેતા સુધીર મુનગંટીવારે ૧૦૦ વિધાનસભ્યોના સમર્થન સાથે માગણી કરી

Published : 08 March, 2025 04:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારને આ બાબતે ભલામણ કરવાની વિનંતી પત્રમાં કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સંબંધે અલગથી પત્ર લખ્યો હોવાનું સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.

સુધીર મુનગંટીવાર

સુધીર મુનગંટીવાર


પ્રખર સમાજસુધારક અને મહિલાઓને શિક્ષિત કરવા માટે જીવનભર સંઘર્ષ કરનારાં મહાત્મા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માગણી કરતો પત્ર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે ગઈ કાલે વિધાનસભામાં રજૂ કર્યો હતો. આ માગણીને તમામ પક્ષના ૧૦૦ વિધાનસભ્યોએ સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારને આ બાબતે ભલામણ કરવાની વિનંતી પત્રમાં કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સંબંધે અલગથી પત્ર લખ્યો હોવાનું સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.


મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ નેતા અરુણ ગુજરાતીએ પણ અલગથી જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માગણી કરી છે.



ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્નથી સન્માનિત કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કેન્દ્રમાં ભલામણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. અત્યારે પણ દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય પ્રધાન છે ત્યારે આ માગણી દોહરાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2025 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK