Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદરથી પકડાયેલા બંગલાદેશીનું નાગપુરની હિંસા સાથે કનેક્શન છે?

દાદરથી પકડાયેલા બંગલાદેશીનું નાગપુરની હિંસા સાથે કનેક્શન છે?

Published : 29 March, 2025 11:27 AM | Modified : 30 March, 2025 07:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસને એવી શંકા હોવાથી એ દિશામાં એણે તપાસ શરૂ કરી છે : આરોપી અઝીઝુલ રહમાન નાગપુરમાં ગેરકાયદે રહે છે

ધરપકડ

ધરપકડ


મુંબઈ પોલીસે દાદરથી દેશમાં ગેરકાયદે રહેતા એક બંગલાદેશીની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે કે ૧૭ માર્ચે નાગપુરમાં થયેલી હિંસામાં તેનો કોઈ રોલ હતો કે નહીં. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીઓએ ૨૯ વર્ષના અઝીઝુલ નિઝાનુલ રહમાનને પકડીને તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને એવી શંકા છે કે નાગપુરમાં જે દિવસે હિંસા થઈ ત્યારે તે ત્યાં જ હતો. તે નાગપુરના હસનબાગમાં રહે છે અને થોડા દિવસ પહેલાં જ દાદર આવ્યો હતો. મજૂરી કરતા અઝીઝુલે અમારી સમક્ષ કબૂલ કર્યું છે કે તેણે બનાવટી ડૉક્યુમેન્ટ્સની મદદથી આધાર કાર્ડ મેળવ્યું હતું. અમે તેના મોબાઇલના લોકેશનની તપાસ કરી રહ્યા છીએ. તેની ધરપકડની માહિતી અમે નાગપુર પોલીસને પણ આપી છે.’


૧૭ માર્ચે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવવાની માગણી સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એમાં પવિત્ર ચાદર બાળવામાં આવી હોવાની અફવા ફેલાયા બાદ મુસ્લિમોએ શહેરમાં હિંસા શરૂ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે ૧૧૪ લોકોની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK