Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બદલાપુરના બદમાશ અક્ષય શિંદેએ ત્રણ લગ્ન કર્યાં હતાં, ત્રણેય પત્ની છોડીને જતી રહી

બદલાપુરના બદમાશ અક્ષય શિંદેએ ત્રણ લગ્ન કર્યાં હતાં, ત્રણેય પત્ની છોડીને જતી રહી

22 August, 2024 06:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય શિંદે મૂળ કર્ણાટકના ગુલબર્ગ ગામનો છે અને તેનો જન્મ બદલાપુરમાં ખરવઈ ગામમાં જ થયો હતો

નરાધમ અક્ષય શિંદે

નરાધમ અક્ષય શિંદે


બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવનારા ૨૪ વર્ષના નરાધમ અક્ષય શિંદેએ ત્રણ લગ્ન કર્યાં હોવાની અને બધી પત્ની તેને છોડીને જતી રહી હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. અક્ષય દસમા ધોરણ સુધી ભણેલો છે અને તે બદલાપુરની એક સ્કૂલમાં સિપાઈ તરીકે અગાઉ કામ કરતો હતો. માહિતી મુજબ બદલાપુર-ઈસ્ટમાં ખરવઈ ગામમાં રહેતો આરોપી અક્ષય શિંદે મૂળ કર્ણાટકના ગુલબર્ગ ગામનો છે અને તેનો જન્મ બદલાપુરમાં ખરવઈ ગામમાં જ થયો હતો. તે ગામની બેઠી ચાલમાં માતા-પિતા, ભાઈ અને બહેન સાથે રહે છે. તેના પાડોશીઓના કહેવા મુજબ ૨૪ વર્ષની ઉંમર સુધીમાં ત્રણ વખત લગ્ન કર્યા બાદ અક્ષયની પત્નીઓ કોઈક કારણસર તેને છોડીને જતી રહી હતી. માસૂમ બાળકીઓનો અક્ષયે વિનયભંગ કર્યો હોવાની જાણ થતાં ગામવાસીઓએ તેના અને તેના નજીકમાં રહેતા સંબંધીઓના ઘરની તોડફોડ કરતાં તેઓ ગામમાંથી પલાયન થઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK