Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધારાવીના લોકોનો પુનર્વસવાટ કરવાની યોજના સામે મુલુંડમાં જાગૃતિ અભિયાન

ધારાવીના લોકોનો પુનર્વસવાટ કરવાની યોજના સામે મુલુંડમાં જાગૃતિ અભિયાન

19 February, 2024 07:48 AM IST | Mumbai
Sameer Surve | sameer.surve@mid-day.com

મુલુંડના રહેવાસીઓ ઘરે-ઘરે ફરીને અને સોસાયટીઓની મુલાકાત લઈને સરકારની યોજના સામે લોકોનો ટેકો મેળવી રહ્યા છે

જાગૃતિ અભિયાન

જાગૃતિ અભિયાન


મુલુંડના રહેવાસીઓને દહેશત છે કે તેમની પાડોશનો વિસ્તાર નવું ધારાવી બનવા જઈ રહ્યો છે. આથી તેઓ ઘરે-ઘરે ફરીને અને સોસાયટીઓની મુલાકાત લઈને જાગૃતિ અભિયાન હાથ ધરી રહ્યા છે અને બીએમસીના પ્લૉટ પર ધારાવીના અમુક રહેવાસીઓ અને પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકોનો પુનર્વસવાટ કરવાની સરકારની યોજના સામે ટેકો મેળવી રહ્યા છે. જોકે મુલુંડ-ઈસ્ટમાં આવેલી જમીનના ટુકડાને સોંપવા બાબતે બીએમસીએ કોઈ આખરી નિર્ણય લીધો નથી.


રાજ્યના હાઉસિંગ ડિપાર્ટમેન્ટે ૧૦ જાન્યુઆરીએ બીએમસીના સત્તાધીશોને પત્ર લખી મુલુંડ-ઈસ્ટમાં આવેલી ૬૪ એકર જમીન ધારાવી રીડેવલપમેન્ટ ઑથોરિટી (ડીઆરએ)ને સોંપવા જણાવ્યું હતું. ડીઆરએ અહીં ધારાવીના ત્રણથી ચાર લાખ લોકો જેઓ રીડેવલપમેન્ટ માટે પાત્ર નથી તેમને વસાવવા અહીં રેન્ટલ હાઉસિંગ કૉલોની વિકસાવશે. કુલ ૧૮ એકરની જમીન ઑક્ટ્રૉય નાકા હેઠળ આવે છે, જ્યારે બાકીના હિસ્સામાં ડમ્પિંગ ગ્રાઉન્ડ છે જે હવે બંધ છે. રાજ્યની કૅબિનેટે આ બાબતે ૨૦૨૨માં નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટની ઔપચારિક દરખાસ્ત તૈયાર કરતાં પહેલાં બીએમસી આ બાબતે રાજ્ય સરકાર સાથે ચર્ચાવિચારણા કરશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2024 07:48 AM IST | Mumbai | Sameer Surve

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK