Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અટલ સેતુના ટોલમાં પચાસ ટકા કન્સેશન ચાલુ જ રહેશે

અટલ સેતુના ટોલમાં પચાસ ટકા કન્સેશન ચાલુ જ રહેશે

Published : 29 January, 2025 09:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે ઉદ્ઘાટન થયું ત્યારથી મિનિમમ ૫૦૦ રૂપિયાને બદલે ૨૫૦ રૂપિયા વન-વે ટોલ લેવામાં આવે છે

અટલ સેતુ

અટલ સેતુ


મુંબઈ અને નવી મુંબઈને જોડતા ભારતના ૨૧.૮ કિલોમીટરના સૌથી લાંબા સી-બ્રિજ અટલ સેતુનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૧૨ જાન્યુઆરીએ લોકાર્પણ કર્યું હતું. અટલ સેતુ શરૂ થયો હતો ત્યારે સરકારે એક વર્ષ સુધી મિનિમમ ૫૦૦ રૂપિયાને બદલે ૨૫૦ રૂપિયા ટોલ લેવાની જાહેરાત કરી હતી. અટલ સેતુ શરૂ થયાને એક વર્ષ થઈ ગયું છે એટલે ટોલ બાબતે ગઈ કાલે રાજ્ય સરકારની કૅબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


મુંબઈથી નવી મુંબઈ ઝડપથી માત્ર ૨૦ મિનિટમાં પહોંચવા માટે અટલ સેત‌ુ મહત્ત્વનો પુરવાર થઈ રહ્યો છે અને વધુ ને વધુ લોકો આ છ લેનના સી-બ્રિજનો ઉપયોગ કરે એ માટે ટોલમાં પચાસ ટકા કન્સેશન આપવામાં આવ્યું છે એને આ વર્ષના અંત સુધી કાયમ રાખવાનો નિર્ણય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં આયોજિત કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બ્રિજ પર સિંગલ પ્રવાસ કરવા માટે મિનિમમ ૨૫૦ રૂપિયા અને રિટર્ન પ્રવાસ માટે ૩૭૫ રૂપિયા ટોલ લેવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK