રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવાણે થોડા દિવસ પહેલાં જ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો.
શરદ પવાર, અશોક ચવાણ
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવાણે થોડા દિવસ પહેલાં જ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. એ સંદર્ભે એનસીપીના સ્થાપક શરદ પવારે કોલ્હાપુરમાં ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘અશોક ચવાણે બીજેપી જૉઇન કરી એમાં કોઈ આશ્ચર્ય થયું નથી. તેમણે જૉઇન કરવા પહેલાં લોકસભામાં વાઇટ પેપર રજૂ કરાયું હતું અને એમાં આદર્શ કૌભાંડનો ઉલ્લેખ હતો. એથી એ એક પ્રકારની ધમકી જ હતી. ત્યાર બાદ તરત જ અશોક ચવાણે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપી જૉઇન કરી હતી. બીજાઓને કદાચ નવાઈ લાગી હશે, પણ મને એમાં કોઈ આશ્ચર્ય થયું નહોતું.’



