Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરે અને BJP વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

રાજ ઠાકરે અને BJP વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

Published : 20 August, 2024 03:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MNSએ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કર્યા બાદ આશિષ શેલાર મળવા ગયા અેને પગલે નવા રાજકીય સમીકરણની ચર્ચા

આશિષ શેલાર અને રાજ ઠાકરેની તસવીરોનો કૉલાજ

આશિષ શેલાર અને રાજ ઠાકરેની તસવીરોનો કૉલાજ


MNSએ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કર્યા બાદ આશિષ શેલાર મળવા ગયા એને પગલે નવા રાજકીય સમીકરણની ચર્ચા


મુંબઈ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની તેમના શિવાજી પાર્કમાં આવેલા શિવતીર્થ નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની સાથે ઉમેદવારો પણ જાહેર કર્યા છે. રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ કે મહા વિકાસ આઘાડી બન્નેમાંથી કોઈની સાથે હાથ મિલાવ્યા વિના ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે એવામાં આશિષ શેલાર રાજ ઠાકરેને મળ્યા હોવાથી તેમની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી. રાજ ઠાકરેને મળીને આશિષ શેલાર શિવતીર્થ બંગલામાંથી બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં આ બન્ને નેતાની મુલાકાતને મહત્ત્વની માનવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2024 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK