Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રવિવારે સવારે અને સાંજે શ્વાનપ્રેમીઓ કરશે સુપ્રીમ કોર્ટના આદેશ સામે વિરોધ-પ્રદર્શન

રવિવારે સવારે અને સાંજે શ્વાનપ્રેમીઓ કરશે સુપ્રીમ કોર્ટના આદેશ સામે વિરોધ-પ્રદર્શન

Published : 15 November, 2025 03:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશુપ્રેમીઓનું કહેવું છે કે ખસીકરણ કરાયા બાદ શ્વાનોને તેમની ટેરિટરીમાંથી ખસેડવા ન જોઈએ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રખડતા શ્વાનને જાહેર સ્થળોએથી હટાવીને શેલ્ટર હોમમાં ખસેડવાના સુપ્રીમ કોર્ટના આદેશના વિરોધમાં મુંબઈ સહિત અનેક શહેરોના પશુપ્રેમીઓએ વિરોધ-પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.

પશુપ્રેમીઓનું કહેવું છે કે ખસીકરણ કરાયા બાદ શ્વાનોને તેમની ટેરિટરીમાંથી ખસેડવા ન જોઈએ. રસી અપાય અને ખસીકરણ થાય એ પછી શ્વાન જે ટેરિટરીમાં રહેતા હોય ત્યાંથી એમને દૂર કરવા એ ક્રૂરતા હોવાનું પશુપ્રેમીઓનું માનવું છે એથી શ્વાનને શેલ્ટર હોમમાં ખસેડવાના આદેશના વિરોધમાં ૧૬ નવેમ્બરે સાંજે ૪ વાગ્યે દાદરના શિવાજી પાર્કમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે. રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે દાદરના ચિત્રા થિયેટર નજીક પણ પ્રદર્શન કરવામાં આવશે. એની સાથોસાથ મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ એ જ દિવસે પશુપ્રેમી સંસ્થાઓ વિરોધ-પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2025 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK