અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હવે 10 દિવસ પણ બાકી નથી રહ્યા. કપલ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સમારોહ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે જેમાં દેશ અને દુનિયાના અનેક નામી લોકો સામેલ થવાના છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં કયા સેલિબ્રિટીઝ કરશે પરફૉર્મ?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હવે 10 દિવસ પણ બાકી નથી રહ્યા. કપલ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સમારોહ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે જેમાં દેશ અને દુનિયાના અનેક નામી લોકો સામેલ થવાના છે.
હવે માહિતી છે કે આમાં અડેલ, ડ્રેક અને લાના ડેલ રે જેવા ઈન્ટરનેશનલ સેલેબ્સ પર્ફૉર્મ કરશે. રાધિકા મર્ચન્ટ, લાના ડેલ રેની ખૂબ જ મોટી ફેન છે.
ADVERTISEMENT
ત્રણેય કલાકારો સાથે વાતચીતમાં લાગી ટીમ
ઈન્ડિયા ટુડેના એક રિપૉર્ટ પ્રમાણે હાલ મેનેજમેન્ટ ટીમ આ ત્રણેય કલાકારો સાથે વાતચીત કરવામાં લાગેલી છે. તેમણે વેડિંગ સેલિબ્રેશનમાં બોલાવવા માટે ડેટ ફિક્સ અને પૈસાની લેવડદેવડ પર વાતો ચાલી રહી છે.
રિહાનાથી માંડીને પિટબુલ સુધીના સ્ટાર્સે કર્યું પરફોર્મ
અગાઉ, રિહાના, કેટી પેરી, પિટબુલ, ડીજે ડેવિડ ગુએટા, ઓપેરા સિંગર એન્ડ્રીયા બોસેલી અને બેકસ્ટ્રીટ બોયઝ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોએ યુગલના લગ્ન પહેલાના બંને કાર્યોમાં પરફોર્મ કર્યું હતું. આ સિવાય દિલજીત દોસાંઝ અને ગુરુ રંધાવા જેવા કલાકારોએ પણ સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું હતું.
જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી સેલિબ્રેશન ચાલશે
તમને જણાવી દઈએ કે 12 જુલાઈના રોજ ભવ્ય લગ્ન પછી બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી 14મી જુલાઈએ રિસેપ્શન યોજાશે જેમાં વિશ્વભરના વીવીઆઈપી મહેમાનો હાજરી આપશે. ત્રણેય દિવસના આ કાર્યક્રમો મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં જ યોજાશે.
સંગીત સેરેમનીમાં બે બેચ પરફોર્મ કરશે
રિપોર્ટ્સ પ્રમાણે અંબાણી પરિવારે આ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરિવારના સભ્યોએ સંગીત માટે રિહર્સલ શરૂ કરી દીધું છે.
મળતી માહિતી મુજબ, અનંત-રાધિકાના મ્યુઝિકલ પરફોર્મન્સ માટે બે અલગ-અલગ બેચ તૈયાર કરવામાં આવી છે. આ ડાન્સ પરફોર્મન્સમાં એક બેચ અનંતના મિત્રોની હશે, જ્યારે બીજી બેચ રાધિકાના મિત્રોની હશે.
અંબાણી પરિવારે જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવ્યા
આ લગ્ન પહેલા રવિવારે અંબાણી પરિવારે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમાં પોતાના ખર્ચે જરૂરિયાતમંદ લોકોના લગ્ન મોટા પાયે કરાવ્યા છે. રિલાયન્સના ચૅયરમૅન અને દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમૅન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નને હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે. તે પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ દીકરા અનંત અને રાધિકાના લગ્ન પહેલા નવી મુંબઈમાં 50 કરતાં વધુ ગરીબ દંપતી માટે એક વિશેષ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ કૅર્પોરેટ પાર્કમાં યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં દંપતીના પરિવારથી 800 જેટલા લોકો હાજર રહ્યા હતા. આજે થયેલા સમૂહ લગ્નની શરૂઆત કરીને આગામી સમયમાં પણ અંબાણી પરિવાર અનેક સમૂહ લગ્ન કરાવશે એવી પણ જાહેરાત કરી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)