Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન કેટલાં ભવ્ય હશે એ એની કંકોતરી પરથી ખબર પડશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન કેટલાં ભવ્ય હશે એ એની કંકોતરી પરથી ખબર પડશે

27 June, 2024 04:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉક્સ ખોલતાં જ સંસ્કૃત મંત્રોચ્ચાર થવાના શરૂ થઈ જાય છે. અંદર બે ભાગ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નની કંકોતરી

લાઇફમસાલા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નની કંકોતરી


એશિયાના સૌથી ધનિક એવા અંબાણી પરિવારના સૌથી નાના દીકરાનાં લગ્ન ૧૨ જુલાઈએ છે. એની કંકોતરી લોકોને આપવાનું કામ શરૂ થઈ ગયું છે. આ કંકોતરીની ભવ્યતા આંખો આંજી નાખે એવી છે. લગ્નના આમંત્રણરૂપે જે કાર્ડ છે એ મોટા બૉક્સમાં છે. બૉક્સ ખોલતાં જ સંસ્કૃત મંત્રોચ્ચાર થવાના શરૂ થઈ જાય છે. અંદર બે ભાગ છે. ઉપરના ભાગમાં ચાંદીનું મંદિર છે અને અંદર વિષ્ણુ, ગણેશ, રાધા-કૃષ્ણ અને મા લક્ષ્મીની ગોલ્ડ-સિલ્વરની મૂર્તિ છે.




નીચેના ભાગમાં ડ્રૉઅર જેવું છે. એમાં કાર્ડની અંદર દરેક ફંક્શનની વિગતો લખેલી છે. ડ્રૉઅરમાં એક બૉક્સ છે. એની અંદર ગુલાબી અને ચાંદીના તારથી ભરેલા ગુલાબના ફૂલનો રૂમાલ છે. એની અંદર ચાંદીના તારથી અનંતનો ‘અ’ અને રાધિકાનો ‘ર’ ગૂંથવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2024 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK