Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > EVMથી ચૂંટાઈને આવેલા મહા વિકાસ આઘાડીના બધા નેતાઓ રાજીનામું આપે

EVMથી ચૂંટાઈને આવેલા મહા વિકાસ આઘાડીના બધા નેતાઓ રાજીનામું આપે

Published : 09 December, 2024 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયંત પાટીલે કહ્યું હતું કે ઉત્તમ જાનકાર મારી પરવાનગી સિવાય રાજીનામું નહીં આપે

ચંદ્રશેખર બાવનકુળે

ચંદ્રશેખર બાવનકુળે


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)માંથી ચૂંટાઈ આવેલા ઉત્તમ જાનકર ગઈ કાલે વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ લેવા માટે નહોતા પહોંચ્યા. તેઓ ગઈ કાલે સોલાપુરમાં આવેલા મારકડવાડી ગામમાં જ હતા. અહીં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘મારી શપથવિધિ કરતાં મારકડવાડીની લડાઈ મહત્ત્વની છે. લોકશાહી સામે મારું વિધાનસભ્યનું પદ કંઈ નથી. આથી કેન્દ્રીય ઇલેક્શન કમિશનને કહ્યું છે કે એક પેટાચૂંટણી બૅલટ પેપર પર કરાવો. હું કહેવા ખાતર નથી બોલતો, હું ખરેખર રાજીનામું આપવા તૈયાર છું.’


જોકે તેમની આ જાહેરાત બાદ શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે કહ્યું હતું કે ઉત્તમ જાનકાર મારી પરવાનગી સિવાય રાજીનામું નહીં આપે. ઉત્તમ જાનકરની રાજીનામું આપવાની વાત વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) સામે શંકા કરીને મહા વિકાસ આઘાડ‌ીના નેતાઓ હળાહળ ખોટું બોલીને લોકોને ભરમાવી રહ્યા છે. આ નેતાઓ પણ EVMથી ચૂંટાઈ આવ્યા છે. ઉત્તમ જાનકર જ નહીં, મહા વિકાસ આઘાડીના તમામ વિધાનસભ્યોએ રાજીનામાં આપવાં જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK