Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કઝિન સુપ્રિયા સુળે અને સંજય રાઉતે કરેલા વેશપલટાના દાવા વિશે અજિત પવારે કહ્યું... તો હું રાજકારણ છોડી દઈશ

કઝિન સુપ્રિયા સુળે અને સંજય રાઉતે કરેલા વેશપલટાના દાવા વિશે અજિત પવારે કહ્યું... તો હું રાજકારણ છોડી દઈશ

03 August, 2024 11:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે કહ્યું કે, મારી બદનામી કરીને ગેરસમજ ઊભી કરવાનો આ પ્રયાસ છે

 અજીત પવાર

અજીત પવાર


મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બની એ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અજિત પવારે દસ વખત વેશ બદલીને મુલાકાત કરી હોવાનો દાવો સંસદસભ્ય સુપ્રિયા સુળે અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘કેટલાક નેતાઓનો આરોપ છે કે હું મહાયુતિની સરકાર પહેલાં વેશ બદલીને દિલ્હી ગયો હતો. આ વાત સાવ ખોટી છે. મારી બદનામી કરીને ગેરસમજ ઊભી કરવાનો આ પ્રયાસ છે. ૩૫ વર્ષથી સક્રિય રાજકારણમાં છું. સંસદસભ્યની સાથે વિધાનસભ્ય તરીકે કામ કર્યું છે. જવાબદારીનું મને ભાન છે. નામ બદલીને છૂપી રીતે મળવું એ મારા સ્વભાવમાં નથી. આજે બધી બાજુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા છે. મને બહુરૂપિયો કહ્યો છે. આવું કહેનારાઓને શરમ આવવી જોઈએ. મારે નામ કે વેશ બદલીને કોઈને મળવાની જરૂર નથી. સામી છાતીએ ખુલ્લેઆમ રાજનીતિ કરી છે. કૅમેરામાં હું ક્યાંય દેખાયો છું કે અજિત પવારે જુદો યુનિફૉર્મ પહેર્યો છે? મને કોઈ ફ્લાઇટમાં જોયો છે? પુરાવા હોય તો રજૂ કરો, રાજકારણ છોડી દઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2024 11:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK