Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં બસમાં આગ લાગી : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

થાણેમાં બસમાં આગ લાગી : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

26 February, 2024 07:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયરમેન અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

આગની પ્રતીકાત્મક તસવીર

આગની પ્રતીકાત્મક તસવીર


થાણેમાં રવિવારે સવારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં આગ લાગી હતી. જોકે બસમાં બેઠેલા ૪૫ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના પ્રમુખ યાસિન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટના કલવા પોલીસ સ્ટેશન પાસેના વિટાવા બ્રિજ નજીક સવારે ૮.૧૮ વાગ્યે બની હતી.


મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની બસ ૪૦થી ૪૫ મુસાફરોને લઈને રાયગડ જિલ્લાના ખોપટ બસડેપોથી પાલી જઈ રહી હતી ત્યારે એના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી 
હતી. ફાયરમેન અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મુસાફરોને બસમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ૮.૨૮ વાગ્યા સુધીમાં જ કાબૂમાં આવી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2024 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK