પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં કહ્યું હતું કે કૉલેજ આવા તાલિબાની ફતવા કાઢે એ કેવી રીતે ચાલે?
પ્રતાપ સરનાઈક
ચેમ્બુરની એન. જી. આચાર્ય અને ડી. કે. મરાઠે કૉલેજ દ્વારા થોડા દિવસ પહેલાં ક્લાસરૂમમાં હિજાબ, નકાબ, બુરખા અને ટોપી પહેરવા પર બંધી મૂકી દેવાનો કિસ્સો ચર્ચાયો હતો અને એ બાબતે કૉલેજની નવ સ્ટુડન્ટ્સે કોર્ટમાં અરજી પણ કરી હતી. જોકે કોર્ટે કૉલેજ મૅનેજમેન્ટને કૉલેજમાં શિસ્ત જાળવવા પગલાં લેવાનો અધિકાર છે એમ કહીને કૉલેજનો પક્ષ લીધો હતો. હવે કૉલેજે ફાટેલું જીન્સ, ટી-શર્ટ અને અંગપ્રદર્શન કરે કે ધાર્મિક ઓળખ છતી કરે એવો ડ્રેસ પહેરવા પર પણ બંધી મૂકી છે. એનો વિરોધ કરતાં ગઈ કાલે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં કહ્યું હતું કે કૉલેજ આવા તાલિબાની ફતવા કાઢે એ કેવી રીતે ચાલે? તેમણે એજ્યુકેશન મિનિસ્ટરને આ બાબતે પગલાં લેવા જણાવ્યું છે.