Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકના તપોવનમાં શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું ભવ્ય પૂતળું બનાવવામાં આવ્યું

નાશિકના તપોવનમાં શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું ભવ્ય પૂતળું બનાવવામાં આવ્યું

Published : 12 October, 2024 10:17 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર સરકારના પર્યટન વિભાગે તપોવનમાં પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ભગવાન શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું પૂતળું બનાવ્યું છે

શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું પૂતળું

શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું પૂતળું


ભગવાન શ્રીરામ તેમના ૧૪ વર્ષના વનવાસ વખતે નાશિકમાં આવેલા તપોવનમાં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા. આથી દેશ-વિદેશમાંથી અસંખ્ય ભક્તો તપોવનમાં આવે છે. મહારાષ્ટ્ર સરકારના પર્યટન વિભાગે તપોવનમાં પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ભગવાન શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું પૂતળું બનાવ્યું છે, જેનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં પૂતળા ઉપરાંત રામસૃ​ષ્ટિ પણ ઊભી કરવામાં આવી છે. તપોવનમાં ગોદા-કપિલા સંગમ, શ્રીરામ-સીતાની ઝૂંપડી, રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપવામાં આવ્યું હતું એ સ્થળ, રામ-લક્ષ્મણ મંદિર જેવાં શક્તિસ્થળ છે. એમાં હવે ૭૧ ફુટ ઊંચા શ્રીરામના પૂતળાનો સમાવેશ થવાથી એ ભક્તો અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2024 10:17 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK