Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ૧૭ મૉલ રામભરોસે નીકળ્યા

મુંબઈના ૧૭ મૉલ રામભરોસે નીકળ્યા

04 June, 2024 06:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCએ ૬૮ મૉલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું એમાંથી સત્તરમાં ફાયર-સિસ્ટમ કામ જ નહોતી કરતી

મૉલ

મૉલ


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ફાયર-બ્રિગેડ વિભાગ દ્વારા ૨૬ મેથી ૩૦ મે દરમ્યાન મુંબઈના ૬૮ મૉલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૭ મૉલમાં ફાયર-સિસ્ટમ બરાબર ન હોવાનું જણાતાં એને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત મલાડ-વેસ્ટમાં આવેલા ધ મૉલને અગાઉ નોટિસ મોકલી હોવા છતાં ફાયર-સેફ્ટીમાં સુધારો ન કરવાથી ગઈ કાલે આગ લાગી હતી. આથી આ મૉલને જોખમી જાહેર કરીને પાણી અને વીજળીનું કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. BMCએ ગયા અઠવાડિયે જ આ મૉલને ફાયર-સેફ્ટી ઍક્ટ હેઠળ નોટિસ મોકલી હતી. નોટિસ મળ્યા બાદ પણ ફાયર-સિસ્ટમમાં સુધારો ન કરતાં અહીં આગ લાગી હોવાનું જણાતાં હવે ધ મૉલને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK