Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં ૧૯૮૪ પહેલાંની ૭૦ ટકા ઇમારતોને રીડેવલપ કરવાનો રસ્તો ખૂલ્યો

મીરા-ભાઈંદરમાં ૧૯૮૪ પહેલાંની ૭૦ ટકા ઇમારતોને રીડેવલપ કરવાનો રસ્તો ખૂલ્યો

Published : 08 October, 2024 03:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્ય સરકારે જૂનાં બિલ્ડિંગોના રીડેવલપમેન્ટની નીતિને માન્યતા આપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા-ભાઈંદરમાં ગ્રામપંચાયતના સમયથી નિયમોનો ભંગ કરીને અથવા ગેરકાયદે ઇમારતો ઊભી કરવામાં આવી હતી. આ ઇમારતો અત્યારે જર્જરિત હાલતમાં છે અને એના રીડેવલપમેન્ટમાં અડચણ આવી રહી હોવાની ફરિયાદ અહીંના વિવિધ રાજકીય પક્ષ અને હાઉસિંગ સોસાયટીઓએ રાજ્ય સરકારને કરી હતી. હજારો પરિવાર અને લાખો લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જૂની ઇમારતોને રીડેવલપ કરવા માટેની નીતિને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ નીતિમાં કાયદેસર ઇમારતોને રીડેવલપ કરવા માટે અપાતી પરવાનગીની જેમ ૧૯૮૪ પહેલાં નિયમોનો ભંગ કરીને અથવા તો ગેરકાયદે બાંધવામાં આવેલાં બિલ્ડિંગોનું અમુક શરતો સાથે રીડેવલપમેન્ટ થઈ શકશે.


મીરા-ભાઈંદરમાં ખાસ કરીને ભાઈંદર-ઈસ્ટમાં ખારીગાવ, ગોડદેવ, નવઘર વગેરે વિસ્તારમાં મોટા પ્રમાણમાં ૧૯૮૪ પહેલાં ગેરકાયદે ઇમારતો બાંધવામાં આવી હતી. અત્યારે આ બિલ્ડિંગો જર્જરિત થઈ ગયાં છે અને રીડેવલપ કરવાની જરૂર છે, પણ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ટાઉન-પ્લાનિંગ વિભાગના રેકૉર્ડમાં આ બિલ્ડિંગ નથી. આથી રીડેવલપ કરવાની મુશ્કેલી આવી રહી છે. આ સમસ્યા ગંભીર હોવાથી રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ માટેની નવી નીતિને મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK