Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સતત પડી રહેલા વરસાદને પગલે તુલસી બાદ તાનસા તળાવ છલકાયું

સતત પડી રહેલા વરસાદને પગલે તુલસી બાદ તાનસા તળાવ છલકાયું

25 July, 2024 08:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાતેય જળાશયોમાં કુલ ૫૮.૫૮ ટકા પાણી

તાનસા તળાવ

તાનસા તળાવ


છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલા સારા વરસાદને પગલે ગઈ કાલે બપોર બાદ મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી તાનસા પણ ઓવરફ્લો થયું હતું. આ પહેલાં ૨૦ જુલાઈએ તુલસી જળાશય છલકાયું હતું. ગઈ કાલે સવાર સુધીમાં સાતેય જળાશયોમાં ૫૮.૫૮ ટકા પાણી જમા થયું હતું. આથી મુંબઈની પાણીની સમસ્યા કેટલાક અંશે ઓછી થઈ છે.


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ માહિતી આપી હતી કે તાનસા જળાશય ગયા વર્ષે ૨૬ જુલાઈએ સવારના ૪.૩૫ વાગ્યે છલકાયું હતું તો ૨૦૨૨માં ૧૪ જુલાઈએ સવારના ૮.૫૦ વાગ્યે આ જળાશય છલોછલ થયું હતું. જોકે ૨૦૨૦માં વરસાદ મોડો થયો હતો એટલે ૨૦ ઑગસ્ટે સવારના ૭.૦૫ વાગ્યે તાનસા જળાશય ઓવરફ્લો થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK