Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં ભારે વરસાદને લીધે ભાત્સા નદીના કાંઠે આવેલા ફાર્મમાં ૧૫૦ પર્યટકો ફસાયા

થાણેમાં ભારે વરસાદને લીધે ભાત્સા નદીના કાંઠે આવેલા ફાર્મમાં ૧૫૦ પર્યટકો ફસાયા

Published : 08 July, 2024 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નદીમાં પૂર આવતાં પાણીની સપાટીમાં વધારો થવાથી NDRFની ટીમે ટ્યુબ બોટમાં બેસાડીને ઉગાર્યા

વસઈના ઉસગાંવ નાકા પાસેથી લોકોને બચાવવામાં આવ્યા હતા.

વસઈના ઉસગાંવ નાકા પાસેથી લોકોને બચાવવામાં આવ્યા હતા.


થાણે જિલ્લામાં શનિવાર રાતથી ભારે વરસાદ પડ્યો હતો, જેને લીધે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. શહાપુર તાલુકાના વાશિંદમાં આવેલી ભાત્સા નદીમાં પાણીની સપાટીમાં વધારો થતાં નદીકાંઠા પાસેના સૃષ્ટિ ફાર્મમાં ૧૫૦ પર્યટકો ફસાઈ ગયા હતા. તેમને નૅશનલ ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ (NDRF)ની ટીમે સ્થાનિક લોકોની મદદથી ટ્યુબ બોટમાં બેસાડીને ઉગાર્યા હતા. આવી જ રીતે ભારે વરસાદને પગલે પાલઘર જિલ્લાના વસઈ તાલુકામાં આવેલા ચાલીસપાડા ગામ અને ઉસગાંવ નાકામાં વરસાદનું પાણી ભરાઈ જતાં અહીંના રહેવાસીઓને NDRF અને ફાયર-બ્રિગેડના જવાનોએ બચાવ્યા હતા. લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે નજીકની તાનસા નદીમાં પૂર આવતાં પાણી ખેતરોમાં ભરાઈ જતાં તેઓ અટવાઈ ગયા હોવાનું પાલઘર જિલ્લાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે કહ્યું હતું.


ચોમાસામાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ૩૦થી ૩૫ જવાનની એક એવી ૧૩ ટીમ તહેનાત કરવામાં આવી છે. ગઈ કાલે ભારે વરસાદ થતાં થાણે અને પાલઘર જિલ્લામાં તહેનાત કરવામાં આવેલી ટીમોએ બચાવકામ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK