Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી પહોંચ્યા બ્રુનેઈ જ્યાં ૧૪,૦૦૦ ભારતીયો રહે છે

નરેન્દ્ર મોદી પહોંચ્યા બ્રુનેઈ જ્યાં ૧૪,૦૦૦ ભારતીયો રહે છે

04 September, 2024 06:42 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાને ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી.

બ્રુનેઈ પહોંચીને ભારતીય સમુદાયના આબાલવૃદ્ધ લોકો સાથે હળતામળતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

બ્રુનેઈ પહોંચીને ભારતીય સમુદાયના આબાલવૃદ્ધ લોકો સાથે હળતામળતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.


પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દેશોની મુલાકાતે રવાના થયા હતા અને બ્રુનેઈ પહોંચ્યા હતા જ્યાં બંદર સેરી બાગવાન ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્રિન્સ અલ-મુહતાદી બિલ્લાહે તેમનું સ્વાગત કર્યું હતું. બીજા ચરણમાં તેઓ સિંગાપોરની બે દિવસની મુલાકાત લેશે.


ભારત અને બ્રુનેઈના રાજકીય સંબંધોને ૪૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે વડા પ્રધાન મોદી એક દિવસની મુલાકાતે બ્રુનેઈ પહોંચ્યા છે અને કોઈ પણ ભારતીય વડા પ્રધાન દ્વારા આ દેશની આ પહેલી મુલાકાત છે.



વડા પ્રધાન મોદીએ બંદર સેરી બાગવાનમાં ૧૯૫૮માં બાંધવામાં આવેલી સુલતાન ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. તેઓ સુલતાન હાજી હસનલ બોલ્કીઆ અને અન્ય રાજકીય પરિવારના મેમ્બરોને મળવાના છે.


બ્રુનેઈમાં આશરે ૧૪,૦૦૦ ભારતીયો રહે છે અને તેમણે પણ વડા પ્રધાન મોદી જ્યારે હોટેલ પર પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2024 06:42 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK