Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતની રાજનીતિક જીત, ઈરાને છોડી મૂક્યા પાંચ ભારતીય ખલાસી

ભારતની રાજનીતિક જીત, ઈરાને છોડી મૂક્યા પાંચ ભારતીય ખલાસી

11 May, 2024 10:15 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ખલાસીઓને ઈરાનથી ભારત મોકલી દેવાયા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઈરાને ૧૩ એપ્રિલે જપ્ત કરેલી ઇઝરાયલ સાથે સંબંધ ધરાવતી એક કાર્ગો શિપના પાંચ ભારતીય ખલાસીઓને ગઈ કાલે છોડી મૂકવામાં આવતાં ભારતને રાજનીતિક સફળતા મળી હતી. આ ખલાસીઓને ઈરાનથી ભારત મોકલી દેવાયા છે. આ ખલાસીઓને છોડી મૂકવા માટે ભારતે ઈરાનનો આભાર માન્યો હતો.


ઈરાનનું માનવું હતું કે એમએસસી એરીઝ નામની આ કાર્ગો શિપ ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ દ્વારા જપ્ત કરવામાં આવી હતી‌. આ શિપ દુબઈ તરફ જઈ રહી હતી. એની માલિકી ઇઝરાયલના એક નાગરિકની હોવાથી આ કાર્યવાહી ઈરાને કરી હતી. આ કાર્ગો શિપ પર સવાર કેરલાની મહિલા ખલાસી એન. ટેસા જોસેફને ઈરાનની સરકારે પહેલાં જ રિલીઝ કરી હતી અને તે ૧૮ એપ્રિલે ભારત પહોંચી ગઈ હતી. હજી પણ ૧૧ ભારતીય ખલાસી ઈરાનના કબજામાં છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2024 10:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK