Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સને કારણે ૨૦૫૦ સુધીમાં ૩.૯૦ કરોડ મૃત્યુ થશે

ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સને કારણે ૨૦૫૦ સુધીમાં ૩.૯૦ કરોડ મૃત્યુ થશે

20 September, 2024 10:08 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૫૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં ઍન્ટિ-બાયોટિક્સની પ્રત્યક્ષ અસરને કારણે ૩.૯૦ કરોડથી વધુ મૃત્યુ થશે અને પરોક્ષ અસરને કારણે ૧૬.૯૦ કરોડ લોકો મૃત્યુ પામશે

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


ઍન્ટિ-બાયોટિક દવાનું આડેધડ સેવન મોત પણ નોંતરી શકે છે. આડેધડ સેવન કરવાથી શરીરમાંના બૅક્ટેરિયા એવા જટિલ થઈ જાય છે કે ઍન્ટિ-બાયોટિક દવાની પણ અસર ઘટી જાય છે જેને ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય. મેડિકલ જર્નલ ધ લૅન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પ્રમાણે ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સને કારણે ૨૦૫૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં ઍન્ટિ-બાયોટિક્સની પ્રત્યક્ષ અસરને કારણે ૩.૯૦ કરોડથી વધુ મૃત્યુ થશે અને પરોક્ષ અસરને કારણે ૧૬.૯૦ કરોડ લોકો મૃત્યુ પામશે. ઍન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR)ના સીધા પરિણામસ્વરૂપે ૧૯૯૦ અને ૨૦૨૧ વચ્ચે દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ દિશામાં અસરકારક ઉપાય કરવામાં નહીં આવે તો ૨૦૫૦ સુધીમાં દર વર્ષે મૃત્યુની સંખ્યા ૧૯.૧ લાખ થશે અને પરોક્ષ રીતે ૮૨.૨ લાખ સુધી પણ પહોંચી શકે છે. મૃત્યુદર અટકાવવો હોય તો તકેદારી વધારવી પડશે અને ઍન્ટિ-બાયોટિકના ઉપયોગ માટે કડક તબીબી પ્રોટોકૉલ લાગુ કરવા પડશે. આ કરીશું તો આગામી પચીસ વર્ષમાં ૯.૨૨ કરોડ મૃત્યુ અટકાવી શકીશું. 


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 10:08 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK