Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તો ઍમૅઝૉનના ૭૩ ટકા કર્મચારી નોકરી છોડી દેશે

તો ઍમૅઝૉનના ૭૩ ટકા કર્મચારી નોકરી છોડી દેશે

Published : 04 October, 2024 11:40 AM | Modified : 04 October, 2024 11:54 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે કંપનીએ અઠવાડિયામાં પાંચ દિવસ ઑફિસમાં આવીને કામ કરવાનો આદેશ કર્યો છે

ઍમૅઝૉન કંપની

લાઇફ મસાલા

ઍમૅઝૉન કંપની


કોરોનાકાળથી અમેરિકાની ઍમૅઝૉન કંપનીમાં વર્ક ફ્રૉમ હોમનું કલ્ચર શરૂ કરવામાં આવ્યું હતું, જે અત્યારે પણ ચાલુ છે. હવે કંપનીએ અઠવાડિયામાં પાંચ દિવસ ઑફિસમાં આવીને કામ કરવાનો આદેશ કર્યો છે. ઍમૅઝૉનના CEO એન્ડી જેસીએ બીજી જાન્યુઆરી, ૨૦૨૫થી આ નિયમ લાગુ કરવા આદેશ કર્યો છે. એની સામે કર્મચારીઓ બહુ નારાજ થઈ ગયા છે. જૉબ રિવ્યુ સાઇટ ‘બ્લાઇન્ડ’એ આ માટે ઍમૅઝૉનના ૨૫૮૫ કર્મચારીનો સર્વે કર્યો હતો. એનો રિપોર્ટ આવી ગયો છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે આ નિર્ણયનો અમલ થશે તો ૭૩ ટકા કર્મચારીઓ નોકરી છોડી દેશે.


નવી ઑફિસમાં પાછા આવવાનો આદેશ સાંભળીને ૯૧ ટકા કર્મચારીઓ ખૂબ જ અસંતુષ્ટ છે. તેમાંના ૮૦ ટકાએ તો એવો દાવો કર્યો છે કે ઘણાબધા કર્મચારી બીજી નોકરી શોધવા લાગ્યા છે. જેમને વર્ક ફ્રૉમ હોમની પરવાનગી અપાઈ હતી એ કર્મચારીઓનાં તો મનોબળ તૂટી ગયાં છે. કેટલાકે તો કહ્યું કે પોતે ઑફિસ જઈને કામ નહીં કરે તો ૬ મહિનામાં કાઢી મૂકશે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અઠવાડિયામાં ૩ દિવસ ઑફિસ આવવાનો આદેશ કર્યો હતો અને ત્યારે પણ કર્મચારીઓએ વાંધો ઉઠાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 11:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK