વિદેશ મંત્રી અને ગુજરાતના રાજ્યસભા સાંસદ, ડૉ. એસ. જયશંકરે કેવડિયાના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. EAM જયશંકરે પોતાનો સંતોષ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, "એકતા નગરમાં પ્રવાસન સુવિધાઓનો સતત વિકાસ જોઈને પ્રોત્સાહિત થયા. હોટેલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, દુકાનો, ફૂડ કોર્ટ, બગીચા અને મનોરંજન સ્થળો ઝડપી ગતિએ વિસ્તરી રહ્યા છે. પ્રવાસનની સરળતા પર આવી પ્રગતિ જોઈને આનંદ થયો."