Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ ટન શાકભાજી ને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓને ભોજન કરાવ્યું

ત્રણ ટન શાકભાજી ને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓને ભોજન કરાવ્યું

Published : 13 April, 2025 12:38 PM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર ગુજરાતમાં ડીસા તાલુકાના સાંડિયા ગામે જલિયાણ ગૌશાળામાં હનુમાન જન્મોત્સવની અનોખી ઉજવણી

શાકભાજી અને તરબૂચ આરોગતી ગૌમાતાઓ.

શાકભાજી અને તરબૂચ આરોગતી ગૌમાતાઓ.


સમગ્ર ભારત ઉપરાંત વિદેશોમાં પણ ગઈ કાલે હનુમાન જયંતીની ઉલ્લાસભેર ઉજવણી થઈ હતી ત્યારે ઉત્તર ગુજરાતના ડીસા તાલુકામાં આવેલા સાંડિયા ગામે આવેલી જલિયાણ ગૌશાળામાં હનુમાન જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરતાં ત્રણ ટન શાકભાજી અને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. 


શાકભાજી અને તરબૂચની મદદથી બનાવેલી રંગોળી.



ગૌશાળામાં કોબીજ, ટમેટાં, મકાઇ સહિત વિવિધ પ્રકારનાં તાજાં શાકભાજી, લીલું ઘાસ અને રસદાર તરબૂચનો ઉપયોગ કરીને સુંદર રંગોળી બનાવવામાં આવી હતી અને ગૌમાતાઓને પ્રેમથી જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગૌશાળાની ગૌમાતાઓએ પણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન આરોગ્યું હતું. ગૌશાળાના ટ્રસ્ટી હિતેશ ઠક્કરે કહ્યું હતું કે ‘અમારો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાની સેવા કરવાનો છે અને દરેક પર્વની ઉજવણી ગૌમાતાને સાથે લઈને કરીએ છીએ. ગઈ કાલે ગૌશાળાને ત્રણ વર્ષ પૂરાં થયાં હોવાથી અને હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગૌમાતાઓ માટે કંઈક વિશેષ કરવાનો વિચાર કરીને શાકભાજી અને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓનો જમાડવાનો નિર્ણય કર્યો હતો. આ અનુભવ સારો રહ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2025 12:38 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK