Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના નવા સભ્યોનો...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના નવા સભ્યોનો...

27 September, 2024 07:54 PM IST | Ahmedabad
Brand Media | brandmedia@mid-day.com

અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના નવનિયુક્ત સભ્યોના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના નવા સભ્યોનો પદગ્રહણ સમારોહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના નવા સભ્યોનો પદગ્રહણ સમારોહ


અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના નવનિયુક્ત સભ્યોના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સમાજના હિતમાં, વિકાસના મૂલ્યો સાથે કામ કરવા માટે JITOના યોગદાનને વખાણ્યું.


JITO શું છે અને JITO નું મિશન શું છે?



વિશ્વ કક્ષાનું સંગઠન બનવું, ઉચ્ચ આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવી અને વંચિતોની સંભાળ લેવી. જીતોનું વિઝન અને મિશન મુખ્યત્વે આર્થિક સશક્તિકરણ, જ્ઞાન અને સેવા એટલે કે આર્તિક સુદ્રધાતા, શિક્ષા અને સમુદાય અને સમાજની સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


JITO શું છે અને JITO નું મિશન શું છે?


JITO નું વિઝન અને મિશન:

 

વિઝન :

- વિશ્વ કક્ષાની સંસ્થા બનો

 

મિશન:

- ઉચ્ચ આર્થિક સમૃદ્ધિ હાંસલ કરો

- વંચિતોની સંભાળ રાખો

 

મુખ્ય ફોકસ વિસ્તારો:

- આર્થિક સશક્તિકરણ

- જ્ઞાન (શિક્ષણ)

- સમુદાય અને સમાજની સેવા

 

વડાપ્રધાન મોદીનું નેતૃત્વ અને ભારતની આર્થિક પ્રગતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં દેશની આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સ્થિતિ પર નજર નાખતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ પ્રગતિ માટે, નાગરિકોના સહકાર અને કઠિન મહેનતને શ્રેય આપ્યો. ભારત, આગામી સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે આગળ વધી રહ્યું છે.

 

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનું યોગદાન

- JITOના મહત્વ પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો

  - JITO જૈન સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે.

- સંસ્થાની પ્રવૃત્તિઓનું ઉલ્લેખ

  - JITO સમાજમાંથી પ્રાપ્ત થયેલા સંસાધનોને ફરી સમાજને આપવા માટે પ્રતિબદ્ધ છે.

- જૈન ધર્મના ત્રણ મુખ્ય સ્તંભો પર આધાર

  - JITOની પ્રવૃત્તિઓ સેવા, જ્ઞાન, અને આર્થિક સશક્તિકરણ પર આધારિત છે.

 

વિકસિત ભારત માટે કાર્યની અપેક્ષા

 

ઇતિહાસ દરેક દેશને એક સમયગાળો આપે છે જ્યારે તે તેની વિકાસ યાત્રાને અનેકગણી આગળ ધપાવે છે. એક રીતે જોવા જઈએ તો આ તે દેશનો સુવર્ણયુગ (અમૃતકાળ) છે. ભારત માટે આ સુવર્ણયુગ (અમૃતકાલ) છે. ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટો કૂદકો મારવા જઈ રહ્યો છે. આપણી આસપાસ આવા અનેક દેશોનાં ઉદાહરણ છે, જેમણે ચોક્કસ સમયમાં આવી જ માત્રામાં છલાંગ લગાવીને પોતાનો વિકાસ કર્યો છે. એટલે જ હું કહું છું; ભારત માટે પણ આ જ યોગ્ય સમય છે. આપણે આ સુવર્ણયુગની દરેક પળનો લાભ લેવાનો છે; આપણે એક ક્ષણ પણ વેડફવી ન જોઈએ.

મુખ્યમંત્રીએ વર્ષ 2047 સુધીમાં વડાપ્રધાનના દ્રષ્ટિકોણ મુજબ "વિકસિત ભારત" બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે એકતાના મહત્વને ભારપૂર્વક સમજાવ્યો. તેમણે જણાવ્યું કે "વિકસિત ગુજરાત" થકી સમગ્ર દેશનો વિકાસ થાય તેવા પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે.

 

વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરતા પ્રયાસો

 

‘ભારતે વિશ્વમાં ‘વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરે છે.`

પ્રાચીન સમયમાં ગ્રીક, શક, પહલબવ, કુષાણ. હૂણ, યુર્થીએ વગેરે પ્રજાને, મધ્યયુગ દરમિયાન તુર્કો, અફઘાનો, મુઘલો, વગેરે પ્રજાને તથા અર્વાચીન સમયમાં ડચ, વલંદા, અંગ્રેજો વગેરેની અનેક સંસ્કૃતિઓ ભાષાઓ, ધર્મો અને સાંપ્રદાયોને પોતાનામાં સમાવ્યાં છે. આમ, અને સંસ્કૃતિઓ ભાષાઓ, ધર્મ સંપ્રદાયો અને સમાજને પોતાનામાં સમાવીને ભારતે `વસુધૈવ કુટુંબકમ`ની ભાવનાને વિશ્વમાં સકાર કરી છે.

 

આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈને પણ પોતાના અભિવાદનમાં JITOની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રે ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્ર સાથેની કામગીરીને બિરદાવી. તેમણે "વસુધૈવ કુટુંબકમ"ની ભાવનાને પ્રગટ કરતી JITOની સેવાઓને શ્રેષ્ઠ ગણાવી.

 

નવાં સભ્યોનું પદગ્રહણ અને ભાવિ યોજનાઓ

જીતો અમદાવાદના ચેરમેન ઋષભ પટેલે પોતાના ઉદબોધનમાં સંસ્થાના ભાવિ આયોજન વિશે વાત કરતાં જણાવ્યું કે, "આગામી વર્ષ માટે નવી પહેલ હાથ ધરવામાં આવશે, જેનાથી સમાજને સકારાત્મક યોગદાન આપી શકીશું." JITO અમદાવાદ ચેપ્ટરના નવા સભ્યોએ આ સમારંભ દરમિયાન શપથ લઈને પોતાનું પદગ્રહણ કર્યું.

આ પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતાએ પણ હાજરી આપી. JITOના આ ઉદ્દેશ્ય અને પ્રવૃત્તિઓએ સમગ્ર સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

JITOનું પદગ્રહણ સમારોહ સમાજ અને રાજ્યના વિકાસ માટે પ્રેરણાદાયક પ્રયાસો માટે મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2024 07:54 PM IST | Ahmedabad | Brand Media

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK