સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
જૈન મુનિ શાંતિસાગર મહારાજ
સુરતમાં ૨૦૧૭માં ધાર્મિક વિધિ કરવાના અને આશીર્વાદ આપવાના બહાને વડોદરાના એક પરિવારને સુરત બોલાવીને જૈન ઉપાશ્રયમાં ૧૯ વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનાર શાંતિસાગર મહારાજને ગઈ કાલે સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

