Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોરારીબાપુનું ગામ તલગાજરડા બનશે સૌરઊર્જા ગામ : ૪૦૦ ઘર પર ફ્રીમાં લગાવવામાં આવશે સોલર પૅનલનાં ઉપકરણો

મોરારીબાપુનું ગામ તલગાજરડા બનશે સૌરઊર્જા ગામ : ૪૦૦ ઘર પર ફ્રીમાં લગાવવામાં આવશે સોલર પૅનલનાં ઉપકરણો

Published : 30 March, 2025 08:43 AM | IST | Saurashtra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોરારીબાપુએ સૌરઊર્જા માટેની કામગીરીની શરૂઆત કરાવીને કહ્યું હતું કે સૂર્યવંદના માત્ર પુસ્તકોમાં ન રહે,

મોરારીબાપુએ સૌરઊર્જા માટેની પૅનલની પ્લેટને વેલ્ડિંગનો ટાંકો મારીને સૌરઊર્જાની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.

મોરારીબાપુએ સૌરઊર્જા માટેની પૅનલની પ્લેટને વેલ્ડિંગનો ટાંકો મારીને સૌરઊર્જાની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.


સૌરાષ્ટ્રના મહુવા પાસે આવેલા વિખ્યાત કથાકાર મોરારીબાપુના વતન તલગાજરડા ગામે હવે સૌરઊર્જા ગામ બનવા તરફ પ્રયાણ કર્યું છે. મોરારીબાપુએ સોલર પૅનલની પ્લેટને વેલ્ડિંગનો ટાંકો મારીને પોતાના ગામમાં સૌરઊર્જાના પ્રકલ્પનો શુભારંભ કરાવ્યો હતો. મોરારીબાપુની પ્રેરણાથી તેમના વતન તલગાજરડામાં સૌરઊર્જાથી પણ વીજળી મળે એ માટે પૅનલો લગાવવાની કામગીરી દાતા ઘનશ્યામભાઈ શંકરના સહયોગથી શરૂ થઈ છે. શરૂઆતમાં ગામનાં ૪૦૦ ઘર પર સોલર પૅનલો લાગશે અને આ ૪૦૦ પરિવારોને ફ્રીમાં સૌરઊર્જા માટેનાં ઉપકરણો લગાડી આપવામાં આવશે. મોરારીબાપુએ સૌરઊર્જા માટેની કામગીરીની શરૂઆત કરાવીને કહ્યું હતું કે સૂર્યવંદના માત્ર પુસ્તકોમાં ન રહે, પરંતુ સૂર્યકૃપા સૌને ફળે એ માટેનો સ્તુત્ય પ્રયાસ રાષ્ટ્ર માટે પણ પ્રેરણાદાયી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2025 08:43 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK