Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા, કૅનેડા, આફ્રિકા જેવા દેશોમાંથી આવી સાળંગપુરમાં હનુમાનજીદાદાના દરબારમાં ૩૦,૦૦૦થી વધુ રાખડી

અમેરિકા, કૅનેડા, આફ્રિકા જેવા દેશોમાંથી આવી સાળંગપુરમાં હનુમાનજીદાદાના દરબારમાં ૩૦,૦૦૦થી વધુ રાખડી

Published : 20 August, 2024 11:27 AM | IST | Botad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હનુમાનદાદાને રાખડીના વાઘા અને સિંહાસનને નારિયેળીનાં પાનનો શણગાર : વહેલી પરોઢથી હનુમાનભક્તોએ દર્શન કરવા કર્યો ધસારો

મંદિરમાં રાખડીઓથી સુશોભન કરાયું હતું

મંદિરમાં રાખડીઓથી સુશોભન કરાયું હતું


રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગઈ કાલે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં નારિયેળી પૂનમની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનદાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસનને નારિયેળીનાં પાનનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરમાં રાખડીઓથી સુશોભન કરાયું હતું.


ગુજરાત સહિત ભારતનાં વિવિધ રાજ્યો ઉપરાંત આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, દુબઈ સહિત ૩૦થી વધુ દેશોમાંથી હનુમાનદાદાના હજારો ભકતોએ પિસ્તા ડેકોરેશન, ઊન ગૂંથીને બનાવેલી રાખડી, મોરપંખવાળી, બાણ આકારની, ફૂલવાળી, પ્રભુ શ્રીરામના મુખવાળી, દાદાના પેઇ​ન્ટિંગવાળી, ચોખામાંથી બનાવેલી, સુંદરકાંડ લખેલી રાખડીઓ સહિત અંદાજે ત્રીસ હજારથી વધુ અવનવી રાખડીઓ હનુમાનદાદાના મંદિરમાં મોકલી હતી.



નારિયેળી પૂનમ અને રક્ષાબંધનનું પર્વ હોવાથી હનુમાનદાદાના સિંહાસનને નારિયેળીનાં પાનમાંથી ડિઝાઇન બનાવીને શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તોએ મોકલેલી રાખડીઓમાંથી હનુમાનદાદાના વાઘા બનાવવામાં આવ્યા હતા. આ વાઘા બનાવતાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2024 11:27 AM IST | Botad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK