Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં આજથી આંશિક ઘટાડા સાથે નવા જંત્રી દર લાગુ થશે

ગુજરાતમાં આજથી આંશિક ઘટાડા સાથે નવા જંત્રી દર લાગુ થશે

15 April, 2023 01:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં આજથી આંશિક ઘટાડા સાથે નવા જંત્રી દર લાગુ થશે. સરકારી કચેરીઓમાં મિલકતોની નોંધણી માટે છેલ્લી ઘડી સુધી દોડધામ રહી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ


અમદાવાદ ઃ ગુજરાતમાં આજથી આંશિક ઘટાડા સાથે નવા જંત્રી દર લાગુ થશે. સરકારી કચેરીઓમાં મિલકતોની નોંધણી માટે છેલ્લી ઘડી સુધી દોડધામ રહી હતી. ગુજરાતમાં જમીન અને સ્થાવર મિલકતોના જંત્રી ૨૦૧૧ના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરીને એનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. જોકે ગુજરાત સરકારે અગાઉ જાહેર કરેલા જંત્રી દરમાં આંશિક ઘટાડો કર્યો છે. ખેતી તથા બિનખેતીના જમીનના દર બે ગણા યથાવત્ રાખવાનું, જ્યારે જમીન અને બાંધકામના સંયુક્ત દરમાં રહેણાકના દર બે ગણાને બદલે ૧.૮ ગણા કરવાનું, ઑફિસના ભાવ બે ગણાને બદલે ૧.૫ ગણા કરવાનું તથા દુકાનના ભાવ બે ગણા યથાવત્ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2023 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK