Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં આભ ફાટ્યું : ૪ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો

સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં આભ ફાટ્યું : ૪ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો

16 July, 2024 08:08 AM IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંબેલાધાર વરસાદને કારણે મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં

ઉમરપાડા પંથકમાંથી પસાર થતી મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં

ઉમરપાડા પંથકમાંથી પસાર થતી મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં


દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ગઈ કાલે સવારે આભ ફાટ્યું હતું અને ૪ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદથી તાલુકો લથબથ થઈ ગયો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. સાંબેલાધાર વરસાદને કારણે મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં. માત્ર ઉમરપાડા જ નહીં, નેત્રંગ અને ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. જોકે રાહતની વાત એ બની હતી કે આ પહાડી વિસ્તાર હોવાને કારણે સાંજ પડતાં પરિસ્થિતિ થાળે પડતાં તંત્રએ હાશકારો લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2024 08:08 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK