Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રૂપાલની પલ્લીમાં ચાર લાખ કિલો ઘીનો અભિષેક થયો

રૂપાલની પલ્લીમાં ચાર લાખ કિલો ઘીનો અભિષેક થયો

Published : 13 October, 2024 08:39 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા અને શ્રદ્ધા સાથે પલ્લીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી

માતાજીની પલ્લી

માતાજીની પલ્લી


ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી પર અંદાજે ચાર લાખ કિલોથી વધુ ઘીનો લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા અને શ્રદ્ધા સાથે અભિષેક કરીને ભક્તિભાવ સાથે પલ્લીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગઈ કાલે વહેલી પરોઢે સવારે ચાર વાગ્યાના સુમારે માતાજીની પલ્લી વાજતે ગાજતે રૂપાલ ગામમાં નીકળી હતી. મંદિર સુધીના રસ્તામાં આવતા ૨૭ ચકલા ફરતાં-ફરતાં આ પલ્લી નિજ મંદિર સવારે સાત વાગ્યે પહોંચી હતી. આ દરમ્યાન અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તોએ પલ્લીનાં દર્શન કર્યાં હતાં અને અંદાજે ૪ લાખ કિલોથી વધુ ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો હતો. અંદાજે કરોડો રૂપિયાના ઘીનો આસ્થા સાથે ઉપયોગ થયો હતો. ઘણા પરિવારોએ તેમના દીકરી કે દીકરાને માતાજીના પલ્લીની જ્યોતનાં દર્શન કરાવીને બાધા-માનતા પણ ઉતારી હતી. રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના મંદિરે જઈને પણ લાખો માઈભક્તોએ દર્શન કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 08:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK