Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી આપી તમારી જાતે ઍન્ટિ-બાયોટિક્સ ન લો

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી આપી તમારી જાતે ઍન્ટિ-બાયોટિક્સ ન લો

05 June, 2024 02:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશ્વમાં લગભગ ૩૦ કરોડ લોકોમાં ઍન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જોવા મળ્યા છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


એક તબક્કે જે દવાઓ જીવનરક્ષક અને ક્રાન્તિકારી હતી એ જ હવે મોટી સમસ્યા ન બની જાય એની ચિંતા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ને સતાવી રહી છે. આ દવાઓ એટલે ઍન્ટિ-બાયોટિક્સ. વિશ્વમાં લગભગ ૩૦ કરોડ લોકોમાં ઍન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જોવા મળ્યા છે એનું કારણ છાશવારે ઍન્ટિ-બાયોટિક્સનો બેફામ ઉપયોગ હોવાનું મનાય છે. WHOનું કહેવું છે કે કોરોના દરમ્યાન અનેક લોકોએ પુષ્કળ માત્રામાં ઍન્ટિ-બાયોટિક્સનું સેવન કર્યું છે. મહામારી દરમ્યાન કોવિડગ્રસ્ત લોકોમાંથી માત્ર ૮ ટકા લોકોને જ એની જરૂર હતી, પણ લગભગ ૭૫ ટકા લોકોએ ઍન્ટિ-બાયોટિક્સ લાંબો સમય સુધી લીધી હતી.


૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં ઍન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR)ને કારણે ૧૨ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ ૪૯ લાખ લોકોનાં મૃત્યુમાં AMRની ભૂમિકા મુખ્ય હતી. આ આંકડાઓની સાથે જ WHOએ ચેતવણી બહાર પાડી છે કે ખાસ કરીને ઍન્ટિ-બાયોટિક્સ ડૉક્ટરને પૂછ્યા વિના જાતે ન જ લેવી.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2024 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK