સિરિયસ ફ્રૅક્ચરને કારણે સારવાર પછી પણ પર્મનન્ટ ડિસેબિલિટી રહી જાય એવું બને છે. એટલે જો તમે ડેઇલી રૂટીનમાં જ કેટલીક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખશો તો સિરિયસ ફ્રૅક્ચરથી બચી શકો છો
પ્રતીકાત્મક તસવીર
વયસ્કો વારંવાર પડી જાય કે ક્યાંક અથડાઈ જાય એવું બનતું હોય છે. ખાસ કરીને ૬૫ વર્ષ કે એનાથી વધુ વયના સિનિયર સિટિઝનોમાં જોવા મળતી હોય છે. એક સર્વે મુજબ પડી જવાથી દેશમાં દર વર્ષે અંદાજે દસથી પંદર લાખ સિનિયર સિટિઝનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, જ્યારે દસ લાખ લોકો એ ઇન્જરી પછી પાછું સંપૂર્ણ સ્વાસ્થ્ય પાછું મેળવી શકતા નથી
અને મૃત્યુના મુખમાં ધકેલાય છે.
પડવા-આખડવાની સમસ્યા વયસ્કોમાં ડેથ અને ડિસેબિલિટીનું પ્રમુખ કારણ છે. એટલે જ ઑર્થોપેડિક સર્જ્યન પોતે વડીલોને સલાહ આપતા હોય છે કે તમે ફ્રૅક્ચરથી કઈ રીતે બચી શકો અને અમારી પાસે સારવાર કરવા ન આવવું પડે. આજે આપણે આવા જ એક ઑર્થોપેડિક સર્જ્યન સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે પડવા કે અથડાવાને કારણે થતી ઇન્જરીથી કઈ રીતે વડીલો બચી શકે તેમ જ ડાયટ અને એક્સરસાઇઝનું ધ્યાન રાખીને કઈ રીતે પોતાનું બૅલૅન્સ સુધારી શકે.