તંદુરસ્ત રહેવું હોય તો નેચરની નજીક રહેવું બહુ જરૂરી છે એવું કહેવું છે મનોચિકિત્સકો અને ફેફસાંના નિષ્ણાતોનું. નેચર એટલે ખુલ્લી શુદ્ધ હવા જ્યાં વૃક્ષોની હરિયાળી, પર્વતોની ઊંચાઈ અને દરિયાની વિશાળતાનો અનુભવ થતો હોય એવી કુદરત.
વિશ્વ પર્યાવરણ દિવસ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાની હાર્વર્ડ ટી. એચ. ચેન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના અસિસ્ટન્ટ પ્રોફેસર પીટર જેમ્સે ૨૦૨૧માં પબ્લિશ કરેલા અભ્યાસમાં તારવ્યું હતું કે જંગલ કે હરિયાળીની આસપાસ રહેતા લોકોમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, ક્રૉનિક ડિસીઝ, હૉર્મોનલ અસંતુલન, કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ અને કૅન્સર જેવા રોગોનું રિસ્ક ઘટે છે. આ તારણ માટે પ્રોફેસર પીટર જેમ્સે સ્ટ્રીટ વ્યુ મૅપિંગ કરીને ફોનકૉલ પર કલેક્ટ કરેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.