Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઘૂંટણના દુખાવામાં રાહત આપતું સ્ટેરૉઇડનું ઇન્જેક્શન કઈ રીતે કામ કરે છે?

ઘૂંટણના દુખાવામાં રાહત આપતું સ્ટેરૉઇડનું ઇન્જેક્શન કઈ રીતે કામ કરે છે?

Published : 08 August, 2024 07:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉર્ટિકૉસ્ટિરૉઇડ એવા પ્રકારનાં ઇન્જેક્શન છે જે સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ઘૂંટણના સાંધાની કાર્ટિલેજ ધીમે-ધીમે ઘસાય એવી પરિસ્થિતિ એટલે ઘૂંટણનું ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસ. શરૂઆતમાં તમે ડૉક્ટર પાસે જાઓ તો આ તકલીફ માટે એટલે ફિઝિયોથેરપી, દવાઓ કે જીવનશૈલીમાં પરિવર્તન કરવાની સલાહ તમને આપવામાં આવે છે જેનાથી ઘૂંટણની અવસ્થાને તમે બગડતી ધીમી પાડી શકો છો, પરંતુ એનો છેલ્લો ઇલાજ ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી જ છે, પરંતુ અમુક પ્રકારનાં ઇન્જેક્શન છે જે સર્જરી પહેલાંનો થોડો સમય દરદીને સારી રીતે કાઢવામાં મદદરૂપ થઈ શકે છે.


કૉર્ટિકૉસ્ટિરૉઇડ એવા પ્રકારનાં ઇન્જેક્શન છે જે સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. એ ઘૂંટણના સાંધામાં મારવામાં આવે છે. ન વ્યક્તિને ઘણાં અઠવાડિયાં કે મહિનાઓ સુધીની રાહત આપવા સક્ષમ છે. એની અસર વ્યક્તિગત છે. જ્યારે વ્યક્તિનો દુખાવો અસહ્ય હોય અને સોજો વધારે હોય એવી પરિસ્થિતિમાં એ ઘણું ઉપયોગી સાબિત થાય છે. જે દુખાવો તો ઘટાડે જ છે અને એની સાથે-સાથે ઘૂંટણના હલનચલનમાં પણ ફાયદો આપે છે. જોકે આ કોઈ લાંબા ગાળાનો ઉપાય નથી. માટે વધુ પડતો ઉપયોગ ન જ કરવો, કારણ કે એ ઘૂંટણને ડૅમેજ કરી શકે છે. બીજું એ કે ઍડ્વાન્સ લેવલના ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસમાં કારગત નથી.



આ સિવાય બીજું ઇન્જેક્શન છે હાયલ્યુરૉનિક ઍસિડ ઇન્જેક્શન. સાંધામાં એક પ્રવાહી રહેલું હોય છે જેને સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય છે. આ ઇન્જેક્શન આ ફલ્યુઇડ માટે સપ્લિમેન્ટનું કામ કરે છે. લુબ્રિકેશન વધારે છે અને શૉકઍબ્સૉર્બ કરવામાં મદદરૂપ થાય છે. જે વ્યક્તિને માઇલ્ડ ટુ મોડરેટ પ્રકારનું ઘૂંટણનું ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસ હોય તેમને માટે એ મહત્ત્વનું છે જે દુખાવાને ઘટાડે છે અને હલનચલનને સરળ બનાવે છે.


ત્રીજા પ્રકારનું ઇન્જેક્શન છે પ્લેટલેટ રિચ પ્લાઝમા ઇન્જેક્શન - લોહીમાં રહેલા પ્લેટલેટને અલગ કરીને સીધું ઘૂંટણના સાંધામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે કારણ કે પ્લેટલેટ ગ્રોથ માટે અતિ મહત્ત્વનું ફૅક્ટર છે જેને કારણે તૂટી ગયેલા ટિશ્યુ સાંધી શકાય છે, એટલું જ નહીં, નવા પણ બનવા માંડે છે. આમ એ ફક્ત દુખાવો ઓછો નથી કરતું પરંતુ ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસની ઝડપને પણ મંદ કરે છે. આ ઇન્જેક્શન ઘણાં સેફ છે.

એ સિવાય સ્ટેમ સેલ ઇન્જેક્શન પણ છે, જેમાં સ્ટેમ સેલ્સ જેને દરદીના ખુદના બોનમેરોમાંથી પ્રાપ્ત થાય છે એને સીધા ઘૂંટણના સાંધામાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે, પરંતુ આ પ્રયોગ અને એને કારણે થતા ફાયદા હજી રિસર્ચ સુધી સીમિત છે. વ્યક્તિને કયા પ્રકારનાં ઇન્જેક્શન મદદરૂપ થઈ શકે છે એનું માર્ગદર્શન ડૉક્ટર પાસેથી લઈ લેવું.


 

- ડૉ. અમિત મહેતા (ડૉ. અમિત મહેતા જાણીતા ઑર્થોપેડિક સર્જ્યન છે. પ્રતિભાવ માટે ઈ-મેઈલ કરી શકો છો.)

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK