લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ તો નથી કરતા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક જગ્યાએ હજારો માણસોનો મેળો ભરાયો હતો. લોકો આનંદથી મેળાનાં આકર્ષણોને નિહાળી રહ્યા હતા, પરંતુ એ આનંદ વચ્ચે એક જોઈ ન શકતી વ્યક્તિ હાથમાં દિલરુબા લઈને નિરાશ વદને બેઠી હતી. તેની આગળથી ઘણા લોકો પસાર થતા, પરંતુ કોઈને તેની મુશ્કેલી જાણવામાં રસ નહોતો. જોકે એક માણસ તેની પાસે આવ્યો. તેણે ઉદાસીનતાનું કારણ પૂછ્યું ત્યારે તે માણસે કહ્યું, ‘હું દિલરુબા વગાડીને બે-પાંચ પૈસા ભેગા કરીને પેટ ભરું છું, પણ ગિરદીમાં મારી હથેળી ચગદાઈ ગઈ એટલે હું દિલરુબા વગાડી શકું એમ નથી. માટે આજે શું ખાઈશ એની ચિંતાથી નિરાશ છું.’ પેલા માણસે કહ્યું ‘હું વગાડું?’ તેણે કહ્યું, ‘તમને આવડે છે?’ ‘થોડું ઘણું આવડે છે’ એમ કહીને તેણે સંગીત વગાડવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે ભીડ જામવા લાગી અને પૈસાનો વરસાદ થયો. છેલ્લે બધા પૈસા ભેગા કરીને તે માણસે પેલા ન જોઈ શકતા માણસને આપ્યા અને પોતાની ઓળખ આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. એ માણસ હતા મહાન સંગીતજ્ઞ ઓમકારનાથ. સામાન્ય માણસો અને મહાન પુરુષોમાં આ જ તફાવત છે. લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ તો નથી કરતા, પણ ન દેખ્યા જેવું વર્તન કરીને ત્યાંથી નીકળી જાય છે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)