Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પોતાને માટે તો કોણ નથી જીવતું, જીવન એનું જ સાર્થક છે જેઓ બીજા માટે જીવે

પોતાને માટે તો કોણ નથી જીવતું, જીવન એનું જ સાર્થક છે જેઓ બીજા માટે જીવે

01 July, 2024 07:58 AM IST | Mumbai
Dr. Gyanvatsal Swami | feedback@mid-day.com

લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ તો નથી કરતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પાવર-અપ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


એક જગ્યાએ હજારો માણસોનો મેળો ભરાયો હતો. લોકો આનંદથી મેળાનાં આકર્ષણોને નિહાળી રહ્યા હતા, પરંતુ એ આનંદ વચ્ચે એક જોઈ ન શકતી વ્યક્તિ હાથમાં દિલરુબા લઈને નિરાશ વદને બેઠી હતી. તેની આગળથી ઘણા લોકો પસાર થતા, પરંતુ કોઈને તેની મુશ્કેલી જાણવામાં રસ નહોતો. જોકે એક માણસ તેની પાસે આવ્યો. તેણે ઉદાસીનતાનું કારણ પૂછ્યું ત્યારે તે માણસે કહ્યું, ‘હું દિલરુબા વગાડીને બે-પાંચ પૈસા ભેગા કરીને પેટ ભરું છું, પણ ગિરદીમાં મારી હથેળી ચગદાઈ ગઈ એટલે હું દિલરુબા વગાડી શકું એમ નથી. માટે આજે શું ખાઈશ એની ચિંતાથી નિરાશ છું.’ પેલા માણસે કહ્યું ‘હું વગાડું?’ તેણે કહ્યું, ‘તમને આવડે છે?’  ‘થોડું ઘણું આવડે છે’ એમ કહીને તેણે સંગીત વગાડવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે ભીડ જામવા લાગી અને પૈસાનો વરસાદ થયો. છેલ્લે બધા પૈસા ભેગા કરીને તે માણસે પેલા ન જોઈ શકતા માણસને આપ્યા અને પોતાની ઓળખ આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. એ માણસ હતા મહાન સંગીતજ્ઞ ઓમકારનાથ. સામાન્ય માણસો અને મહાન પુરુષોમાં આ જ તફાવત છે. લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ તો નથી કરતા, પણ ન દેખ્યા જેવું વર્તન કરીને ત્યાંથી નીકળી જાય છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

01 July, 2024 07:58 AM IST | Mumbai | Dr. Gyanvatsal Swami

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK