તપનો અર્થ બધું છોડવું એવો બિલકુલ નથી
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર
તપ એટલે શું?
હમણાં જ આ પ્રશ્ન પુછાયો, જેનો જવાબ બધા માટે જાણવો જરૂરી છે એટલે અહીં આજે એની ચર્ચા કરવી છે. તપ એટલે શું? આ સવાલના જવાબમાં સૌથી પહેલું કહેવાનું, મહેરબાની કરીને કોઈએ એવું તપ ન કરવું જોઈએ જેને લીધે તમારા કુટુંબના સભ્યો તાપે. તપ તમારે સ્વયં કરવાનું છે. બીજાને તપાવે એ તપ નથી, પણ એ હિંસા છે. તપ કરવાની આ પ્રાથમિક શરત છે.
એકાદશીનું વ્રત કરો અને આખા ઘરને હેરાન કરો તો એ તપ નહીં, પણ હિંસા છે. તમે ભજન એ રીતે કરો બાપ કે કોઈને હેરાનગતિ ન થાય. દ્વંદ્વને સહન કરી લેવા એ તપ છે, વિકારોના આવેગોને પર્યાપ્ત વિવેકથી સહી લેવા એ પણ તપ છે તો કોઈના ઉત્કર્ષને જોઈને પોતાની ઈર્ષ્યાને રોકવી એ પણ તપ છે.