Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Mangal Transit : 15 મહિના બાદ મંગળ જશે કુંભ રાશિમાં, આ ત્રણ રાશિના ખુલશે ભાગ્ય

Mangal Transit : 15 મહિના બાદ મંગળ જશે કુંભ રાશિમાં, આ ત્રણ રાશિના ખુલશે ભાગ્ય

29 January, 2024 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mangal Transit: મંગળ ગ્રહ ફેબ્રુઆરી 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. જ્યારે આ વખતે મંગળ શનિ સાથે યુતિ પણ કરશે.

ગ્રહોના રાશિપરિવર્તન માટેની પ્રતીકાત્મક તસવીર

ગ્રહોના રાશિપરિવર્તન માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મંગળના ગોચરની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે
  2. નોકરિયાત વર્ગ માટે આ યોગ તેમની કારકિર્દીમાં નવી તક લાવશે
  3. મંગળ કુંભ રાશીમાંથી નીકળીને ગોચર કુંડળીના ઉર્ધ્વ ગૃહમાં ભ્રમણ કરશે

જો તમે પણ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરતાં હોવ તો તમને ખ્યાલ હશે કે દરેક ગ્રહો ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશીમાં ફેરફાર કરતાં હોય છે. આ સમય દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં ગ્રહનો પ્રવેશ થાય છે. તેટલું જ નહીં પણ આ સમય દરમિયાન અન્ય ગ્રહો સાથે જોડાણ પણ બનતું હોય છે. 


હવે તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ ફેબ્રુઆરી 2025માં કુંભ રાશિમાં પ્રવેશ (Mangal Transit) કરવાનો છે. જ્યારે આ વખતે મંગળ શનિ સાથે યુતિ પણ કરશે. આવી સ્થિતિમાં મંગળના ગોચરની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે. જેમાં અમુક રાશિઓ માટે તો જાયને ભાગ્ય જ ખૂલી જવાના છે. કારણ તેઓના જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ આવવાની છે. 



મેષ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય


તમને જણાવી દઈએ કે મંગળનો ગોચર મેષ રાશિના જાતકો માટે સુખ-સમૃદ્ધિની અપાર ખુશીઓ લઈ આવવાનો છે. એવું પણ કહેવાય છે કે આ રાશિના લોકની આવકમાં પણ સારો એવો ગ્રોથ આવી શકે છે.

તેટલું જ નહીં, જો આ જાતકોના પૈસા ક્યાંક કોઈક કારણોસર અટવાઈ ગયા હશે તો તે મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. નોકરિયાત વર્ગ માટે આ યોગ તેમની કારકિર્દીમાં નવી ઉંચાઈ લાવશે. આ યોગની રચના થવાથી સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે.
 
વૃષભ રાશિના જાતકોની કિસ્મત ચમકશે


મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન (Mangal Transit) વૃષભ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થવાનું છે. આ પાછળનું કારણ એ જ છે કે મંગળ ગ્રહ આ લોકોની રાશિમાંથી કર્મ ગૃહમાં પ્રવેશ કરવાનો છે. વૃષભ રાશિના જાતકોને આ સમયે નોકરી-ધંધા તેમ જ વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે. વેપારી વર્ગને વ્યવસાયમાં શુભ પરિણામ મળશે. જે અપાર ધન-દૌલત અપાવશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની પણ શક્યતાઓ આ સમય દરમિયાન વધી જાય છે.

કુંભ રાશિના લોકો માટે આ યોગ કેવું પરિણામ લાવશે?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનું ગોચર (Mangal Transit) આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.  મંગળ આ રશીમાંથી નીકળીને ગોચર કુંડળીના ઉર્ધ્વ ગૃહમાં ભ્રમણ કરવાનો છે. આ રાશિના લોકો કે જએ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેતાં હોય છે તેઓ પોતાનો આત્મવિશ્વાસ વધુ ને વધુ નિર્માણ કરી શકશે.

નોકરિયાત વર્ગ માટે આ યોગ દરમિયાન નાણાકીય લાભની સારી તકો છે અને તમને તમારા જીવનસાથી તરફથી તમામ પ્રકારનો સહયોગ પણ મળશે. મંગળ ગ્રહનું ગોચર આ રાશિ માટે પણ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. કારણ કે મંગળ ગ્રહ (Mangal Transit) કુંડળીના ઉર્ધ્વ ગૃહમાં પ્રવેશ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2024 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK