Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મિર્ઝાપુર પહેલાં મને કોઈ સ્ટાર નહોતું ગણતું : પંકજ ત્રિપાઠી

મિર્ઝાપુર પહેલાં મને કોઈ સ્ટાર નહોતું ગણતું : પંકજ ત્રિપાઠી

26 June, 2024 09:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝન આવતા મહિને આવી રહી છે

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીને ‘મિર્ઝાપુર’ની સફળતા પહેલાં ફક્ત ટીમના એક પાત્ર તરીકે ગણવામાં આવતો હતો. ‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝન આવતા મહિને આવી રહી છે. આ સીઝનમાં તેણે કાલીન ભૈયાનું પાત્ર ભજવ્યું હતું. આ વિશે વાત કરતાં પંકજ કહે છે, ‘મારી કરીઅરમાં ‘મિર્ઝાપુર’ શો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. આ શો બાદ ઇન્ટરવ્યુ દરમ્યાન જર્નલિસ્ટ અમને સ્ટારકાસ્ટ તરીકે ઓળખતા થયા હતા. જોકે એ પહેલાં અમને ફક્ત ટીમના એક પાત્ર તરીકે ગણવામાં આવતા હતા. ‘મિર્ઝાપુર’એ અમને સ્ટાર બનાવી દીધા છે. પહેલી સીઝન બાદ મને ફૅન્સનાં જે રીઍક્શન મળ્યાં છે ખાસ કરીને મહિલાઓનાં, એને લઈને હું સરપ્રાઇઝ થઈ ગયો હતો. મને પણ અહેસાસ થયો કે ઇન્ડિયન સિનેમાના જેટલા અદ્ભુત ડૉન રહ્યા છે એના જેવો જ કાલીન ભૈયા પણ છે. અન્ય ડૉન અને માફિયા કરતાં તે એકદમ અલગ હતો. તે શાંત સ્વભાવનો અને વિશ્વાસપાત્ર પણ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2024 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK