Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ત્રણસો ટીનેજર્સમાંથી અથર્વ જ કેમ પસંદ થયો આંબેડકરના રોલ માટે?

ત્રણસો ટીનેજર્સમાંથી અથર્વ જ કેમ પસંદ થયો આંબેડકરના રોલ માટે?

Published : 07 July, 2021 02:20 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘એક મહાનાયક ડૉ. બી. આર. આંબેડકર’માં બાબાસાહેબના ટીનેજ કૅરૅક્ટર માટે પસંદ થયેલો અથર્વ કાર્વે મેકઅપ વિના પણ ડિટ્ટો બાબાસાહેબ જ લાગે છે

ત્રણસો ટીનેજર્સમાંથી અથર્વ જ કેમ પસંદ થયો આંબેડકરના રોલ માટે?

ત્રણસો ટીનેજર્સમાંથી અથર્વ જ કેમ પસંદ થયો આંબેડકરના રોલ માટે?


ઍન્ડ ટીવીના શો ‘એક મહાનાયક ડૉ. બી. આર. આંબેડકર’ આવતા દિવસોમાં એક નવા પડાવ પર પહોંચી રહ્યો છે ત્યારે શોમાં ‌ટીનેજ બાબાસાહેબની એન્ટ્રી થશે. આ ટીનેજ આંબેડકરને શોધવા માટે પ્રોડક્શન-હાઉસે ત૦૦ ટીનેજર ઍક્ટર શૉર્ટલિસ્ટ કર્યા હતા અને એ પછી છેક ફાઇનલી કિશોરાવસ્થાના બાબાસાહેબ મળ્યા છે, જે કૅરૅક્ટર હવે અથર્વ કાર્વે કરશે. અથર્વ મેકઅપ વિના પણ ડિટ્ટો બાબાસાહેબ જેવો જ લાગતો હોવાથી તેને પસંદ કરવામાં આવ્યો છે, પણ સાથોસાથ તેની બૉડી-લૅન્ગ્વેજ અને જેશ્ચર પણ બહુ મહત્ત્વનું કામ કરી ગયાં હતાં. બાબાસાહેબની આઇકૉનિક મુદ્રાને અથર્વએ જે પ્રકારે આ ટીનેજમાં જ સામેલ કરી લીધી છે એ અદ્ભુત છે અને એને જ કારણે તેને બાબાસાહેબની કિશોરાવસ્થા માટે પસંદ કરવામાં 
આવ્યો છે.
અથર્વ કહે છે, ‘નૅચરલી મારે માટે આ બહુ મોટી વાત છે. બાબાસાહેબ માટે મને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યો એ પહેલેથી હું તેમના પર આધારિત અનેક ડૉક્યુમેન્ટરીઓ જોઈ ચૂક્યો હતો અને મેં તેમની લાઇફ પર આધારિત બુક્સ વાંચવાનું પણ શરૂ કરી દીધું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2021 02:20 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK