Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બડે અચ્છે લગતે હૈં 3’ પર પડી જશે પડદો

‘બડે અચ્છે લગતે હૈં 3’ પર પડી જશે પડદો

07 August, 2023 09:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બડે અચ્છે લગતે હૈં 3’ હવે ૧૧ ઑગસ્ટથી બંધ થશે એવી ચર્ચા ચાલી રહી છે. આ શોનાં નકુલ મહેતા અને દિશા પરમારની જોડી લોકોને ખૂબ ગમે છે. બન્ને ઑન-સ્ક્રીન રામ અને પ્રિયાનો રોલ ભજવી રહ્યાં છે.

બડે અચ્છે લગતે હૈ 3

બડે અચ્છે લગતે હૈ 3


‘બડે અચ્છે લગતે હૈં 3’ હવે ૧૧ ઑગસ્ટથી બંધ થશે એવી ચર્ચા ચાલી રહી છે. આ શોનાં નકુલ મહેતા અને દિશા પરમારની જોડી લોકોને ખૂબ ગમે છે. બન્ને ઑન-સ્ક્રીન રામ અને પ્રિયાનો રોલ ભજવી રહ્યાં છે. એવું જાણવા મળ્યું છે કે આ શોનો હૅપી એન્ડિંગ રહેશે કે જેમાં રામ અને પ્રિયા તેમના બીજા બાળકનું સ્વાગત કરશે. રિયલ લાઇફમાં પણ દિશા પરમાર પ્રેગ્નન્ટ છે અને તે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં છે. આ સિરિયલમાં નકુલની મમ્મી શાલિની કપૂરનો રોલ કરનાર સુપ્રિયા શુક્લાએ તેમની સાથે કામનો અનુભવ શૅર કર્યો છે. એ વિશે સુપ્રિયા શુક્લાએ કહ્યું કે ‘નકુલ અને દિશા સાથે કામ કરવાની મને ખુશી છે. તેઓ ખૂબ સારાં છે. એ માટે હું ખરેખર ભગવાનનો આભાર માનું છું. મારો પહેલો સીન નકુલ અને દિશા સાથે ઇન્ટ્રોડક્શન સીન હતો. બન્ને ઍક્ટર્સ અને ડિરેક્ટરનો પણ હું આભાર માનું છું. દરેક કામ ખૂબ સરળ બની ગયું હતું. મેં જ્યારે સીન જોયો તો મને એ ખૂબ સારો લાગ્યો હતો. એટલો તો સુંદર સીન હતો કે બધાને એ ખૂબ ગમ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2023 09:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK