Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિ દેસાઈને આવતા હતા સુસાઇડના વિચારો

રશ્મિ દેસાઈને આવતા હતા સુસાઇડના વિચારો

Published : 31 July, 2024 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘર વગરની થઈ ગઈ હોવાથી તેણે કારમાં પસાર કરી હતી ચાર રાત

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ


રશ્મિ દેસાઈને એક સમયે સુસાઇડના વિચાર આવતા હતા. નંદિશ સંધુ સાથેના ડિવૉર્સ બાદ તે નાણાકીય રીતે ખૂબ જ મુશ્કેલીમાં આવી ગઈ હતી. તેની ૩.૫ કરોડ રૂપિયાની લોન ચાલુ હતી અને તેની પાસે કામ પણ નહોતું. બધું બરાબર ચાલી રહ્યું હોવાથી તેણે ૨.૫ કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું, પરંતુ અચાનક તેનો શો બંધ થઈ ગયો હતો. એ સમયે તેણે તેની ફૅમિલી સાથે સંબંધ તોડી નાખ્યા હોવાથી તે ઘર વગરની થઈ ગઈ હતી અને ચાર દિવસ તેની કારમાં પસાર કર્યા હતા. ૨૦ રૂપિયામાં મળતી દાળ અને ચાવલ ખાઈને તેણે એ દિવસો પસાર કર્યા હતા. જોકે ત્યાર બાદ સિદ્ધાર્થ શુક્લા અને જાસ્મિન ભસીન સાથેનો શો ‘દિલ સે દિલ તક’ તેને મળ્યો હોવાથી તેણે તમામ લોન ચૂકવી દીધી હતી અને તેની લાઇફ ફરી પાટા પર આવી હતી. તેની પાસે કામ હતું, પરંતુ લાઇફમાં તે ખુશ ન હોવાથી તેને સુસાઇડ કરવાના વિચારો આવતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2024 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK