Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કંઈ નવું કરવા ન મળતાં ‘બડે અચ્છે લગતે હૈં 2’ છોડ્યો નકુલ મેહતાએ

કંઈ નવું કરવા ન મળતાં ‘બડે અચ્છે લગતે હૈં 2’ છોડ્યો નકુલ મેહતાએ

30 December, 2022 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની અને દિશા પરમારની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી.

નકુલ મહેતા

નકુલ મહેતા


નકુલ મેહતાએ ‘બડે અચ્છે લગતે હૈં 2’ને છોડી દીધો છે. રામ કપૂરના શો ‘બડે અચ્છે લગતે હૈં’ ખૂબ જ પૉપ્યુલર થયો હોવાથી એની સીક્વલ બનાવવામાં આવી હતી, જેમાં નકુલ કામ કરી રહ્યો હતો. તેની અને દિશા પરમારની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી. જોકે હવે દર્શકોને એ જોવા નહીં મળે. આ વિશે વાત કરતાં નકુલે કહ્યું હતું કે ‘અમે એક આઇકૉનિક શો બનાવવાનું નક્કી કર્યું હતું એથી શરૂઆતમાં અમને ખૂબ જ ડાઉટ હતો. જોકે આ શોને ઘણો પ્રેમ મળ્યો છે. આ શો જે રીતે લોકો સુધી પહોંચ્યો છે એ ખૂબ જ સ્પેશ્યલ છે. આ શોના પાર્ટ બનીને મને ખૂબ જ ખુશી થઈ છે. સ્ટોરી જે રીતે આગળ જઈ રહી છે એ જોઈને મને લાગે છે કે હવે એમાં હું કંઈ નવું કરી શકું એમ નથી. આથી મેં આ શો છોડવાનું નક્કી કર્યું છે. હું રામને મિસ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK