Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૃષ્ણા અભિષેકથી કેમ નારાજ છે મામી સુનિતા અહુજા? ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

કૃષ્ણા અભિષેકથી કેમ નારાજ છે મામી સુનિતા અહુજા? ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

19 September, 2024 03:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement: ભાણેજ કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા સાથે તે સારું બોન્ડ શૅર કરતી નથી.

સુનિતા અહુજા ગોવિંદા અને કૃષ્ણા અભિષેક (ફઈલ તસવીર)

સુનિતા અહુજા ગોવિંદા અને કૃષ્ણા અભિષેક (ફઈલ તસવીર)


દેશના સૌથી મોટા કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) અનેક સેલેબ્સ આવે છે. જોકે શોમાંનો એક મુખ્ય કલાકાર એટલે કે કૃષ્ણા અભિષેક (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) સૌથી લોકપ્રિય પાત્ર છે. કૃષ્ણાની કીમેડી દરેકને ગમે છે પણ જ્યારે કોઈ એપિસોડમાં તેના મામા એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા અહુજા આવે તે દરમિયાન કૃષ્ણા જોવા મળતો નથી. તાજેતરમાં એ જ બાબતે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો કૃષ્ણાની મામી સુનિતાએ કયો છે.


અભિનેતા કૃષ્ણા અભિષેક અને ગોવિંદાની (Govinda) પત્ની સુનીતા અહુજા વચ્ચેના સંબંધો બહુ સારા નથી તે બાબતે દરેક લોકોને ખબર છે. બન્ને અનેક વખત એકબીજા વિરુદ્ધ નિવેદનો આપવાને કારણે ચર્ચામાં આવ્યા છે. દરમિયાન, સુનીતા અહુજાએ (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ભાણેજ કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા સાથે સારું બોન્ડ શૅર કરતી નથી. એટલા માટે તે કપિલ શર્મા શોમાં નહીં જાય કારણ કે અભિનેતા તે શોનો એક ભાગ છે. સુનિતાના આ નિવેદન પર હવે આ મામલે કૃષ્ણાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Edits ? (@bigg_boss_lovers17)


કૃષ્ણા અભિષેકે (Krushna Abhishek) તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું તેમને ખૂબ પ્રેમ કરું છું. મામીએ હંમેશા મને તેના પોતાના બાળકની જેમ મને પ્રેમ કર્યો છે અને મારા માટે ઘણું કર્યું છે. તેને મારાથી ગુસ્સે થવાનો પૂરો અધિકાર છે. હું જાણું છું કે તે બધું ગુસ્સામાં કહે છે. પણ આ કંઈ નથી. હું તેને સ્વીકારીશ, તે મારી મામી છે. એક અહેવાલ મુજબ સુનીતા અહુજાએ (Sunita Ahuja) અનિલના પોડકાસ્ટમાં કપિલ શર્મા શોનો (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) ભાગ ન બનવા બદલ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું, સાંભળો, હું તમને એક વાત કહેવા માગુ છું. હું જૂઠું નહીં બોલીશ, મારું કૃષ્ણા  અને કાશ્મીરા સાથે નથી બનતું અને જો. જો તે લોકો તેમાં ન હોત તો મેં શો કર્યો હોત.


ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને તેની પત્ની સુનીતા અહુજા સાથે કૃષ્ણા અભિષેકના સંબંધોમાં ઘણા સમયથી ખટાશ ચાલી રહી છે. જોકે, ચીચી મામા તેના દીકરા યશવર્ધન અહુજા સાથે ભત્રીજી આરતી સિંહના લગ્નમાં (Krushna Abhishek Reacts to Sunita Ahuja Statement) પહોંચ્યા હતા. તે પોતાની ભાણેજને આશીર્વાદ આપતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તે કૃષ્ણા અને કાશ્મીરાને (Kashmera Shah) પણ તે પ્રસંગમાં હાજર રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK