Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચને શા માટે શાહરૂખ ખાનની માફી માગી?

અમિતાભ બચ્ચને શા માટે શાહરૂખ ખાનની માફી માગી?

Published : 04 November, 2020 03:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમિતાભ બચ્ચને શા માટે શાહરૂખ ખાનની માફી માગી?

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કૌન બનેગા કરોડપતિ(Kaun Banega Crorepati)ની 12 મી સીઝન ઘણી લોકપ્રિય બનવાની સાથે વિવાદમાં પણ ઘેરાયેલો છે.


તાજેતરમાં દિલ્હીની રહેવાસી 27 વર્ષીય રેખા રાની હોટ સીટ પર બેઠી હતી. શો આગળ ચાલ્યા બાદ હોટ સીટ પર બેસ્યા પછી રેખા રાની અને અમિતાભ વચ્ચે પ્રશ્નો અને જવાબો સાથે હાસ્ય-ટુચકાઓનો સિલસિલો શરૂ થયો હતો.



રેખાએ અમિતાભ બચ્ચનને કહ્યું, “મારો સ્વભાવ ઝાંસીની રાણી જેવો છે.” બિગ બીએ તેને વધુ રમુજી બનાવતા કહ્યું કે તે પહેલેથી ડરી ગયા છે. તેમણે પ્રેક્ષકોની વચ્ચે બેઠેલા રેખાના પિતા સાથે વાત કરી અને કહ્યું કે તેમની પુત્રીએ ‘સ્પીચલેસ’ બનાવી દીધો છે. જ્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને લગતો પ્રશ્ન રમતમાં આવ્યો ત્યારે રેખાએ કહ્યું કે તે બાળપણથી જ શાહરૂખ ખાનની મોટી ચાહક છે અને અમિતાભ બચ્ચનને પસંદ નથી કરતી નથી.


નાપસંદ પાછળનું કારણ એ કે તેની ફિલ્મોમાં તે શાહરૂખ ખાન સાથે નકારાત્મક વલણ ધરાવતા રોલમાં હોય છે. રેખા રાનીએ કહ્યું કે ‘મોહબ્બતે’માં તે શાહરૂખ ખાનને ઠપકો આપે છે અને ’કભી ખુશી કભી ગમ’માં ઘર છોડવા કહેવા બદલ બિગ બીથી નારાજ છે.

અમિતાભ બચ્ચને ખૂબ રમૂજી રીતે કહ્યું કે તે ફિલ્મોમાં એક પાત્ર ભજવી રહ્યા છે. ત્યારબાદ તેમણે રેખા રાની અને શાહરૂખ ખાનની માફી માંગી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK