Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મોટિવેશન માટે ‘મન્નત’ના આંટાફેરા મારે છે ગુરમીત ચૌધરી

મોટિવેશન માટે ‘મન્નત’ના આંટાફેરા મારે છે ગુરમીત ચૌધરી

14 June, 2023 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હવે મહારાણા પ્રતાપની પિરિયડ સિરી‌ઝ ‘મહારાણા’માં ટાઇટલ રોલ ભજવી રહ્યો છે.

ગુરમીત ચૌધરી

ગુરમીત ચૌધરી


ગુરમીત ચૌધરીનું કહેવું છે કે તે જ્યારે ઇમોશનલી વીક હોય અથવા તો તેને મોટિવેશનની જરૂર હોય ત્યારે તે શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની આસપાસ આંટાફેરા મારે છે. તે હવે મહારાણા પ્રતાપની પિરિયડ સિરી‌ઝ ‘મહારાણા’માં ટાઇટલ રોલ ભજવી રહ્યો છે. તેનાં સપનાં પૂરાં કરવાની પ્રેરણા તેને શાહરુખ ખાન પાસેથી મળી હતી. આ વિશે વાત કરતાં ગુરમીતે કહ્યું કે ‘મારો ફેવરિટ ઍક્ટર શાહરુખ ખાન છે. તેમની જે ઑરા છે એનાથી ઘણા લોકોને પ્રેરણા મળે છે. ઘણા લોકોને ખબર હશે કે આજે પણ હું જ્યારે ઇમોશનલી વીક હોઉં અથવા તો મને મોટિવેશનની જરૂર હોય ત્યારે હું તેમના બંગલોની આસપાસ ડ્રાઇવ કરું છું. હું તેમને કોઈ દિવસ નહીં મળી શકું એ શક્ય છે, પરંતુ તેમના બંગલો કે તેમની ઑરાની આસપાસ રહેવાથી મને ઘણી તાકાત મળે છે. તેમણે જે કામ કર્યું છે અને તેમની જે જર્ની રહી છે એ તેમના ડેડિકેશનને કારણે છે. તમે જો તેમનો ઇન્ટરવ્યુ સાંભળ્યો તો તમે એમાંથી ઘણું શીખી શકો છો. ઍક્ટિંગ જ નહીં, પરંતુ તમને તેમની પાસેથી લાઇફ લેસન પણ મળી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK