Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નીતેશ તિવારીની ‘રામાયણ’માં વિભીષણ બનશે વિજય સેતુપતિ?

નીતેશ તિવારીની ‘રામાયણ’માં વિભીષણ બનશે વિજય સેતુપતિ?

28 January, 2024 07:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિભીષણની ભૂમિકામાં વિજય સેતુપતિ કદાચ જોવા મળશે

વિજય સેતુપતિ

વિજય સેતુપતિ


નીતેશ તિવારીની ‘રામાયણ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ દેખાશે. હાલમાં જ જાણ થઈ હતી કે કૈકેયીના રોલમાં લારા દત્તા દેખાવાની છે. હવે વિભીષણના રોલને લઈને ચર્ચા ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે વિભીષણની ભૂમિકામાં વિજય સેતુપતિ કદાચ જોવા મળશે. આ રોલ માટે વિજય સેતુપતિ અને નીતેશ તિવારી વચ્ચે મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચે સ્ક્રિપ્ટ અને ‘રામાયણ’ને કેવી બનાવવી છે એ વિશે ચર્ચા થઈ હતી. નરેશન સાંભળીને વિજય મંત્રમુગ્ધ થયો હતો અને આ ફિલ્મમાં કામ કરવા માટે તેણે રસ દાખવ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે માર્ચમાં શરૂ થશે. જૂનમાં રાવણના રોલ માટે યશની એન્ટ્રી થશે. જુલાઈ સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે અને દોઢ વર્ષ આ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન પર ધ્યાન આપવામાં આવશે. આ ફિલ્મને ભવ્ય સ્તરે બનાવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK