Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ મૌની રૉયે સૌથી પહેલાં કોને અનફૉલો કર્યો હતો?

સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ મૌની રૉયે સૌથી પહેલાં કોને અનફૉલો કર્યો હતો?

20 April, 2024 07:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે સુશાંતના સુસાઇડ બાદ કન્ટ્રોવર્સીમાં સંદીપનું નામ આવ્યું હતું. આ વિશે વાત કરતાં સંદીપ કહે છે, ‘મૌની રૉયને કારણે મને ખૂબ જ દુ:ખ પહોંચ્યું હતું

મૌની રૉય

મૌની રૉય


સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ સૌથી પહેલાં મૌની રૉય દ્વારા એક વ્યક્તિને અનફૉલો કરવામાં આવી હતી અને એ છે પ્રોડ્યુસર સંદીપ સિંહ. મૌની અને સંદીપ બન્ને ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ હતા. જોકે સુશાંતના સુસાઇડ બાદ કન્ટ્રોવર્સીમાં સંદીપનું નામ આવ્યું હતું. આ વિશે વાત કરતાં સંદીપ કહે છે, ‘મૌની રૉયને કારણે મને ખૂબ જ દુ:ખ પહોંચ્યું હતું. તે મારી બેસ્ટ ફ્રેન્ડમાંની એક હતી. તે મને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો પણ કરતી હતી. અમે લંચ અને ડિનરની સાથે અન્ય જગ્યાએ પણ સાથે જતાં હતાં. તે જ્યારે કોઈ મોટા ફિલ્મમેકરને મળવા માગતી ત્યારે હું તેની સાથે જતો હતો. મૌનીને મળ્યો એના પહેલાં હું તેના પતિ સૂરજ નામ્બિયારને પણ મળ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની કન્ટ્રોવર્સી શરૂ થતાં તે પહેલી વ્યક્તિ હતી જેણે મારી સાથે દોસ્તી તોડી હતી અને અનફૉલો કર્યો હતો. તેણે મારા ટેક્સ્ટ મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. તેનામાં એટલી પણ શરમ નહોતી કે તે મને તેનાં લગ્નમાં બોલાવે. જોકે હું મૌનીને એ કહેવા માગું છું કે તેની લાઇફમાં કંઈ પણ સમસ્યા આવશે તો હું પહેલી વ્યક્તિ હોઈશ જે તેની મદદ માટે જશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK